સાબરકાંઠા હિંમતનગર ચાદીપુર વાયરસ નો કેર
સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતી વધુ એક ૩ વર્ષની બાળકીને દાખલ કરવામાં આવી છે. અરવલ્લીના બાયડથી લાવવામાં આવેલી આ બાળકીની સારવાર વિશેષ વોર્ડમાં નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ ચાલી રહી છે. આરોગ્ય વિભાગે બાળકીના સેમ્પલ તપાસ માટે મોકલી આપ્યા છે. નોંધનીય છે કે, હિંમતનગર સિવિલમાં અત્યાર સુધી ચાંદીપુરાના શંકાસ્પદ કેસોમાં ૫ બાળકોના મૃત્યુ થયા છે, જેને પગલે આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર છે.