state
state
દેવગઢ બારિઆમાં સ્ટેટ હાઈવે પર દબાણ મુદ્દે ગરમાવો: સત્તાધીશોની મિલકતો પણ માર્કિંગમાં આવતા અનેક તર્ક-વિતર્ક શરૂ
દેવગઢ બારીઆ નગરમાંથી પસાર થતા મહત્વપૂર્ણ સ્ટેટ હાઈવેની નજીકમાં કેટલાક નગરજનો અને વેપારીઓ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો અને બાંધકામો દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા માપણી અને માર્કિંગની કડક કામગીરી હાથ ધરવામાં આવતા દબાણકર્તાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. આઠ-નવ વર્ષ અગાઉ બનેલો આ સ્ટેટ હાઈવે રસ્તો અત્યંત ખખડધજ થઈ ગયો હોવાથી, લોકોની સુવિધા માટે હવે તેને નવો અને વધુ પહોળો બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે.
દબાણ હટાવવા માપણી અને લાલ માર્કિંગ:
આ નવી કામગીરી માટે ઈજનેર વિભાગ અને નગરપાલિકા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પીપલોદ રોડ જકાતનાકા પાસેથી બે દરવાજા સુધી રસ્તો પહોળો કરવા સઘન માપણી કરવામાં આવી રહી છે. સરકારી નિયમ પ્રમાણે સ્ટેટ હાઇવે જ્યાં પણ પસાર થતો હોય તેના સેન્ટરથી ૯ મીટર પછી જ પોતાની માલિકીની જગ્યામાં કાયદેસરનું બાંધકામ કરી શકાય છે. આ નિયમને ધ્યાનમાં રાખીને રસ્તાની મધ્યથી ૯ મીટર સુધીની માપણી કરતા અનેક નાના-મોટા ઓટલાઓ, દુકાનો અને રહેણાંક મકાનો પર તંત્ર દ્વારા દબાણ હટાવવા માર્કિંગ કરવામાં આવ્યું છે.
સત્તાધીશોની મિલકતો અને ATM પણ ઝપેટમાં:
આ માપણી પ્રક્રિયા દરમિયાન એક ચોંકાવનારી બાબત સામે આવી છે કે માત્ર સામાન્ય લોકો જ નહીં, પરંતુ ખુદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ વગેરેની મિલકતો પણ આ માર્કિંગની ઝપેટમાં આવી ગઈ છે. આ ઉપરાંત, શહેરમાં નવી શરૂ થયેલી એક્સિસ બેન્ક અને તેનું એટીએમ (ATM) તેમજ એપીએમસી (APMC) ની મિલકતો પર પણ માર્કિંગ કરવામાં આવ્યું છે. જેને પગલે નગરમાં હવે એ ચર્ચાએ ભારે જોર પકડ્યું છે કે શું ખરેખર તમામ લોકોના દબાણો ભેદભાવ વિના હટશે? દબાણ હટાવવાની આ કામગીરીમાં તમામના દબાણ તૂટશે કે પછી માત્ર ગરીબોના ઝૂંપડાં અને નાની દુકાનો હટાવીને સત્તાધીશોને છાવરવામાં આવશે?
અધિકારી અને પૂર્વ પ્રમુખના નિવેદનો:
* આર.એન્ડ.બી. (R&B) એન્જિનિયર રમેશભાઈ પલાસ: "નવા રોડ બનાવવાની કામગીરીનું ટેન્ડરિંગ પૂર્ણ થઈ ગયું છે. કામ શરૂ કરવા માટે રોડને ખુલ્લો કરવો પડશે. નિયમ પ્રમાણે કામ કરવા નગરપાલિકાને દબાણ હટાવવા જણાવી દેવાયું છે. જગ્યા ખુલ્લી મળશે એટલે તરત કામગીરી શરૂ કરાશે."
* પૂર્વ પ્રમુખ ગોપાલસિંહ ઝાલાની ચીમકી: "જો દબાણ હટાવવામાં માત્ર ગરીબોના દબાણ હટશે અને સત્તાધીશોના દબાણ નહીં હટે તો નગરમાં ઉગ્ર આંદોલન કરાશે. કાયદા સમક્ષ દરેકને સરખો ન્યાય મળવો જોઈએ. જો તંત્ર ભેદભાવ વિના ન્યાયિક કામગીરી કરશે તો જ અમારા તરફથી પૂરો સહકાર અપાશે."
હાલના તબક્કે તો સમડી સર્કલ અને બે દરવાજા ટાવર જેવા વિસ્તારોમાં રોજબરોજની ટ્રાફિકની સમસ્યા હલ કરવા દબાણ મુક્ત રસ્તો બનાવવાની કવાયત તેજ બની છે, ત્યારે આવનારા દિવસોમાં તંત્ર દ્વારા પોતાના માર્કિંગ મુજબ કેટલી પારદર્શક કાર્યવાહી થાય છે તેના પર સમગ્ર નગરજનોની મીટ મંડાયેલી છે.
દેવગઢ બારીઆ નગરમાંથી પસાર થતા મહત્વપૂર્ણ સ્ટેટ હાઈવેની નજીકમાં કેટલાક નગરજનો અને વેપારીઓ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો અને બાંધકામો દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા માપણી અને માર્કિંગની કડક કામગીરી હાથ ધરવામાં આવતા દબાણકર્તાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. આઠ-નવ વર્ષ અગાઉ બનેલો આ સ્ટેટ હાઈવે રસ્તો અત્યંત ખખડધજ થઈ ગયો હોવાથી, લોકોની સુવિધા માટે હવે તેને નવો અને વધુ પહોળો બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે.
દબાણ હટાવવા માપણી અને લાલ માર્કિંગ:
આ નવી કામગીરી માટે ઈજનેર વિભાગ અને નગરપાલિકા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પીપલોદ રોડ જકાતનાકા પાસેથી બે દરવાજા સુધી રસ્તો પહોળો કરવા સઘન માપણી કરવામાં આવી રહી છે. સરકારી નિયમ પ્રમાણે સ્ટેટ હાઇવે જ્યાં પણ પસાર થતો હોય તેના સેન્ટરથી ૯ મીટર પછી જ પોતાની માલિકીની જગ્યામાં કાયદેસરનું બાંધકામ કરી શકાય છે. આ નિયમને ધ્યાનમાં રાખીને રસ્તાની મધ્યથી ૯ મીટર સુધીની માપણી કરતા અનેક નાના-મોટા ઓટલાઓ, દુકાનો અને રહેણાંક મકાનો પર તંત્ર દ્વારા દબાણ હટાવવા માર્કિંગ કરવામાં આવ્યું છે.
સત્તાધીશોની મિલકતો અને ATM પણ ઝપેટમાં:
આ માપણી પ્રક્રિયા દરમિયાન એક ચોંકાવનારી બાબત સામે આવી છે કે માત્ર સામાન્ય લોકો જ નહીં, પરંતુ ખુદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ વગેરેની મિલકતો પણ આ માર્કિંગની ઝપેટમાં આવી ગઈ છે. આ ઉપરાંત, શહેરમાં નવી શરૂ થયેલી એક્સિસ બેન્ક અને તેનું એટીએમ (ATM) તેમજ એપીએમસી (APMC) ની મિલકતો પર પણ માર્કિંગ કરવામાં આવ્યું છે. જેને પગલે નગરમાં હવે એ ચર્ચાએ ભારે જોર પકડ્યું છે કે શું ખરેખર તમામ લોકોના દબાણો ભેદભાવ વિના હટશે? દબાણ હટાવવાની આ કામગીરીમાં તમામના દબાણ તૂટશે કે પછી માત્ર ગરીબોના ઝૂંપડાં અને નાની દુકાનો હટાવીને સત્તાધીશોને છાવરવામાં આવશે?
અધિકારી અને પૂર્વ પ્રમુખના નિવેદનો:
* આર.એન્ડ.બી. (R&B) એન્જિનિયર રમેશભાઈ પલાસ: "નવા રોડ બનાવવાની કામગીરીનું ટેન્ડરિંગ પૂર્ણ થઈ ગયું છે. કામ શરૂ કરવા માટે રોડને ખુલ્લો કરવો પડશે. નિયમ પ્રમાણે કામ કરવા નગરપાલિકાને દબાણ હટાવવા જણાવી દેવાયું છે. જગ્યા ખુલ્લી મળશે એટલે તરત કામગીરી શરૂ કરાશે."
* પૂર્વ પ્રમુખ ગોપાલસિંહ ઝાલાની ચીમકી: "જો દબાણ હટાવવામાં માત્ર ગરીબોના દબાણ હટશે અને સત્તાધીશોના દબાણ નહીં હટે તો નગરમાં ઉગ્ર આંદોલન કરાશે. કાયદા સમક્ષ દરેકને સરખો ન્યાય મળવો જોઈએ. જો તંત્ર ભેદભાવ વિના ન્યાયિક કામગીરી કરશે તો જ અમારા તરફથી પૂરો સહકાર અપાશે."
હાલના તબક્કે તો સમડી સર્કલ અને બે દરવાજા ટાવર જેવા વિસ્તારોમાં રોજબરોજની ટ્રાફિકની સમસ્યા હલ કરવા દબાણ મુક્ત રસ્તો બનાવવાની કવાયત તેજ બની છે, ત્યારે આવનારા દિવસોમાં તંત્ર દ્વારા પોતાના માર્કિંગ મુજબ કેટલી પારદર્શક કાર્યવાહી થાય છે તેના પર સમગ્ર નગરજનોની મીટ મંડાયેલી છે.