🔥 TRENDING વંથલી તાલુકાના આખા ગામની મુલાકાતે કલેક... IMD Predicts Scorching Heat to Persist... Himachal Pradesh Sees Continued Snowfa... Uttarakhand Launches ‘Har Dwar, Dastak... Uttarakhand Assembly Convenes Special... Uttarakhand Govt Urges Char Dham Pilgr...
06 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બરવાળામાં વાજબી ભાવની દુકાનમાં ગેરરીતિ સામે કડક કાર્યવાહી નાયબ મામલતદાર જગદીશભાઈ મેણીયાનો ત્રાટકો

✍️ Reporter: Taviya.pratap 🗓 06 Aug 2026, 04:46 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગેરરીતિને ધ્યાનમાં રાખીને ઘઉં, ચોખા, ચણા, તુવેરદાળ, ખાંડ અને મીઠું સહિત અંદાજે ₹53,193નો જથ્થો સીઝ કરીને સરકાર વતી કબ્જે લેવામાં આવ્યો

બરવાળામાં વાજબી ભાવની દુકાનમાં ગેરરીતિ સામે કડક કાર્યવાહી
નાયબ મામલતદાર જગદીશભાઈ મેણીયાનો ત્રાટકો

બરવાળા : મામલતદાર કચેરી દ્વારા બરવાળા-5 વિસ્તારમાં આવેલી પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર નામની વાજબી ભાવની દુકાનમાં અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન દુકાનના સંચાલક પ્રકાશભાઈ આર. દોશી સંચાલિત દુકાનમાં અનેક અનિયમિતતાઓ સામે આવી હોવાનું જાણવા મળ્યું છે.

તપાસ દરમિયાન અનાજના જથ્થામાં તફાવત જોવા મળ્યો હતો. ઉપરાંત દુકાન બહાર ગંદકી જોવા મળી હતી. તપાસ સમયે દુકાન બંધ હાલતમાં મળી આવી હતી અને જાણ કરવા છતાં સંચાલક સ્થળ પર હાજર રહ્યા ન હતા.

ગેરરીતિને ધ્યાનમાં રાખીને ઘઉં, ચોખા, ચણા, તુવેરદાળ, ખાંડ અને મીઠું સહિત અંદાજે ₹53,193નો જથ્થો સીઝ કરીને સરકાર વતી કબ્જે લેવામાં આવ્યો છે.

જાહેર વિતરણ પ્રણાલી (PDS) હેઠળના નિયમોના ભંગને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. તંત્રએ તમામ વાજબી ભાવના દુકાનદારોને નિયમોનું પાલન કરવાની ચેતવણી પણ આપી છે.

✍️ રિપોર્ટ : પ્રતાપ તાવીયા, બરવાળા

NEED24 NEWS
સત્ય • નિષ્પક્ષ • ઝડપી સમાચાર
📲Get App