🔥 TRENDING ECI names R. Zarzosanga as Mizoram's C... India Raises Objections Over Anomalies... Power Department Worker Killed in Elec... India objects to anomalies in UN map o... Twelve Engineers Appointed as Acting E... Jammu & Kashmir Assembly to Begin Sixt...
09 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

કરચેલિયામાં સર્વોદય કેળવણી મંડળ દ્વારા ‘ચંચલ–અમૃત સ્મૃતિ હોલ’નું ભવ્ય ઉદ્ઘાટન

✍️ Reporter: Dhaval Maheta 🗓 08 Sep 2026, 11:40 PM 👁 5
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સર્વોદય કેળવણી મંડળ દ્વારા કરચેલિયાના શાળાઓમાં ‘ચંચલ–અમૃત સ્મૃતિ હોલ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં સ્થાનિક નેતા અને શિક્ષકો હાજર રહ્યા.

કરચેલિયાના શ્રી સર્વોદય કેળવણી મંડળ દ્વારા સંચાલિત શાળાઓના કેમ્પસમાં ‘ચંચલ–અમૃત સ્મૃતિ હોલ’નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. આ હોલ ભૂ.ભી. સાર્વજનિક હાઈસ્કૂલ, શ્રીમતી એસ.પી.આર. શાહ પ્રાથમિક-માધ્યમિક શાળા અને શ્રી લ.સુ. પટેલ કે.જી. વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે નિર્મિત છે, જે શિક્ષણ ક્ષેત્રે નવો અધ્યાય શરૂ કરે છે.

લોકાર્પણ સમારંભમાં ઉદ્ઘાટક ડો. દિલીપભાઈ શાહ (કરચેલિયા, હાલ U.S.A.), સમારંભપ્રમુખ મિલનભાઈ પરીખ (ચેરમેન, જેટસન ઈન્વેસ્ટમેન્ટ, સુરત) અને મુખ્ય મહેમાન પ્રશાંતભાઈ દંડવતે (અગ્રણી બિલ્ડર, સુરત) સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા. તેઓએ હોલની ઉપયોગિતા અને શૈક્ષણિક પ્રવૃત્તિઓની પ્રશંસા કરી, અને ગ્રામ્ય ક્ષેત્રમાં આધુનિક શૈક્ષણિક સુવિધાઓ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ ઉપરાંત સાંસ્કૃતિક, સર્જનાત્મક અને સામાજિક વિકાસ માટે તકો મળશે એમ જણાવ્યું.

સંસ્થાના પ્રમુખ માનસિંહ પટેલે જણાવ્યું કે, ગ્રામ્ય વિસ્તારોમાં પ્રતિભાની કમી નથી, માત્ર યોગ્ય તક, માર્ગદર્શન અને સુવિધા જરૂરી છે. ‘ચંચલ–અમૃત સ્મૃતિ હોલ’ એ આ દિશામાં મહત્વપૂર્ણ કડી સાબિત થશે. ઉપપ્રમુખ અશોકભાઈ બી. શાહ, માનદ મંત્રી સુરેશભાઈ પી. શાહ, માનદ સહમંત્રી હિમાંશુભાઈ વી. પટેલ, માનદ કોષાધ્યક્ષ ડો. હિતેન્દ્રભાઈ એમ. વ્યાસ, આચાર્ય ગૌરાંગભાઈ જી. શાહ અને આચાર્ય તુષારભાઈ આર. પ્રજાપતિ સહિત ટ્રસ્ટી મંડળ, વ્યવસ્થાપક સમિતિ, શિક્ષકો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓએ સમારંભમાં ભાગ લીધો.

ટ્રસ્ટી મંડળે જણાવ્યું કે, શાળાની દીવાલો માત્ર ઈંટ-સિમેન્ટથી નહીં, પરંતુ વિદ્યાર્થીઓના સપનાઓ અને સમાજના વિશ્વાસથી ઊભી થાય છે, અને ‘ચંચલ–અમૃત સ્મૃતિ હોલ’ એ આ વિચારનું જીવંત ઉદાહરણ છે. સર્વોદય કેળવણી મંડળ, કરચેલિયા દ્વારા બનેલો આ હોલ ગ્રામ્ય શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી, અને હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય નિર્માણમાં મદદરૂપ થશે એવી આશા સાથે સમારંભ પૂર્ણ થયો.
📲Get App