🔥 TRENDING Chhattisgarh HC orders father to keep... Saregama Stands Firm: India's Oldest M... Antariksh’s ‘Dil Ki Aawaaz’ Debuts wit... Hrithik Roshan and Sussanne Khan celeb... Aipan Art Gains Global Spotlight, Says... ગાંધીનગરના કોલવડા ગામમાં રક્ષાબંધન પર...
28 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

રાજુલામાં બ્રહ્મસમાજ દ્વારા સામૂહિક જનોઈ પરિવર્તન કાર્યક્રમ

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 28 Aug 2026, 05:00 PM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજુલા શહેરમાં વેદમાતા ગાયત્રી મંદિર હોલમાં બ્રહ્મસમાજની પરંપરાગત સામૂહિક જનોઈ પરિવર્તન અને ધાર્મિક વિધિ યોજાઈ.

અમરેલીના રાજુલા શહેરમાં બ્રહ્મસમાજની દર વર્ષની પરંપરા મુજબ સામૂહિક જનોઈ પરિવર્તન અને ધાર્મિક વિધિનું આયોજન વેદમાતા ગાયત્રી મંદિર હોલમાં કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં ભુદેવોએ યજ્ઞોપવીતનું પૂજન-અર્ચન કરી વિધિવત્ જનોઈ ધારણ કરી. આચાર્ય શ્રી બળવંતરાય શાસ્ત્રીજીએ સંપૂર્ણ વૈદિક વિધિ-વિધાન સાથે જનોઈ બદલવાની વિધિ પૂર્ણ કરી અને સપ્તર્ષિ, શ્રી વિષ્ણુ, શ્રી ગણેશ અને ભગવાન શિવનું પૂજન-અર્ચન તથા આરતી કરવામાં આવી.

આચાર્ય બળવંતરાયએ જણાવ્યું કે સૂર્યપૂજન સાથે વેદમાતા ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવ્યો. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભુદેવોએ સામૂહિક રીતે જનોઈ ધારણ કરી ધાર્મિક પરંપરાને જાળવી રાખી.

કાર્યક્રમને સફળ બનાવવા મનોજભાઈ વ્યાસ, પરાગભાઈ જોષી અને અન્ય આગેવાનોએ જહેમત ઉઠાવી. આરતીનો લાભ ચિરાગ બી. જોષી, ભરતભાઈ મહેતા અને ભરતભાઈ રાજગુરુએ લીધો. બ્રહ્મસમાજના વિજયભાઈ જોષી, શશિભાઈ રાજગુરુ, દીપકભાઈ ત્રિવેદી, રવિ વડીયા અને કનકભાઈ જાની સહિત સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા.
📲Get App