Local
ભરૂચના વેજલપુરમાં ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન
Watch on:
📷 Instagram
ખારવા પંચ વેજલપુર દ્વારા આયોજિત સમારોહમાં શૈક્ષણિક સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું.
ભરૂચના વેજલપુરમાં ખારવા પંચ વેજલપુર પ્રેરિત યુવા સમિતિ દ્વારા 'સન્માન સમારોહ-૨૦૨૬'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ૭૦થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું.
આ સન્માન સમારોહમાં ધોરણ ૧૦ અને ૧૨ થી લઈને સ્નાતક, અનુસ્નાતક અને વિવિધ વ્યાવસાયિક અભ્યાસક્રમો પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, શ્રેષ્ઠ દેખાવ કરનાર ૨૩ ટોપર વિદ્યાર્થીઓને વિશેષ ઇનામો અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન સમાજમાં શિક્ષણની જ્યોત પ્રગટાવનાર કાર્યરત તેમજ નિવૃત્ત શિક્ષકોનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ આયોજન દ્વારા વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યેની રુચિ વધારવાનો અને તેમની સિદ્ધિઓને બિરદાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ સન્માન સમારોહમાં ધોરણ ૧૦ અને ૧૨ થી લઈને સ્નાતક, અનુસ્નાતક અને વિવિધ વ્યાવસાયિક અભ્યાસક્રમો પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, શ્રેષ્ઠ દેખાવ કરનાર ૨૩ ટોપર વિદ્યાર્થીઓને વિશેષ ઇનામો અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન સમાજમાં શિક્ષણની જ્યોત પ્રગટાવનાર કાર્યરત તેમજ નિવૃત્ત શિક્ષકોનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ આયોજન દ્વારા વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યેની રુચિ વધારવાનો અને તેમની સિદ્ધિઓને બિરદાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.