🔥 TRENDING જામનગરમાં વરણા અને વાવડી ગામે AAP નેતા... સુરતની ગાબાણી કોલેજમાં 'વંદે માતરમ્' સ... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తిరుమల పర్యటన... દીપડો પકડાયો, દલખાણીયા ગામમાં રાહતનો શ... સુરતની ગાબાણી કોલેજમાં 'વંદે માતરમ્' સ... મગફળી ખરીદી પ્રક્રિયામાં 'નોમિની' પ્રથ...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

જૈન સંવત્સરીની રજા જાહેર, સ્કૂલોએ સોમવારે બંધ રાખી, DEOએ કાર્યવાહીનો આદેશ આપ્યો

✍️ Reporter: Dhaval Maheta 🗓 15 Sep 2026, 11:55 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાત સરકારે 15 સપ્ટેમ્બર જૈન સંવત્સરી માટે રજા જાહેર કરી, પરંતુ અનેક સ્કૂલો સોમવારે બંધ રહી, DEO ડૉ. ભગિરથસિંહ પરમારે તાત્કાલિક મેસેજ કરી કાર્યવાહીનો આદેશ આપ્યો.

ગુજરાત સરકારે 15 સપ્ટેમ્બરે જૈન સંવત્સરી માટે જાહેર રજા જાહેર કરી હતી. તેમ છતાં અનેક સ્કૂલો સોમવારે ગણેશચતુર્થીની રજા કારણે બંધ રહી, જેના કારણે સ્કૂલોને બે દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો અને મંગળવારનું નક્કી કરેલું શૈક્ષણિક કાર્ય ખોરવાયું.

આ બાબત DEO ડૉ. ભગિરથસિંહ પરમારના ધ્યાન પર આવતાં તેમણે સ્કૂલોને તાત્કાલિક મેસેજ કર્યો, જેમાં મંગળવારે રજા રાખવા અને સ્કૂલ ચાલુ રાખવામાં આવશે તો કાર્યવાહી કરવાની સ્પષ્ટ તાકીદ કરાઈ હતી.

‘આજે સ્કૂલ ચાલુ રાખવા પર કાર્યવાહી કરાશે’ એવા મેસેજમાં જણાવાયું કે 15 સપ્ટેમ્બર જૈન સંવત્સરીની જાહેર રજા છે, તેથી તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો ફરજિયાત બંધ રાખવાની રહેશે. કોઈ સ્કૂલ રાબેતા મુજબ ચાલુ રાખશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતની તમામ આચાર્યોએ નોંધ લેવાની રહેશે.

પૂર્વ ડે.મેયર નિરવ શાહની DEOને રજૂઆત જૈન સમાજના અગ્રણી અને પૂર્વ ડેપ્યુટી મેયર નિરવ શાહ DEO ડૉ. ભગિરથસિંહ પરમારને મળવા પહોંચ્યા હતા. શાહે કહ્યું હતું, ‘દર વર્ષે સંવત્સરીના દિવસે જ રજા હોય છે. તો આ વખતે સ્કૂલોએ સોમવારે રજા કેમ આપી દીધી? સરકારનું કેલેન્ડર સ્કૂલો પોતાની રીતે બદલી શકે નહીં.’ તેમણે જણાવ્યું કે સ્કૂલોના આ નિર્ણયથી વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ મૂંઝાયા છે. DEOએ પણ શાહની રજૂઆત બાદ તરત સ્કૂલોને મેસેજ કર્યો હતો.
📲Get App