ગુજરાતમાં 25 ચીફ ઓફિસરોની બદલી
ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજ્યની વિવિધ નગરપાલિકાઓના 25 ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી છે. આ અંગે વિભાગ દ્વારા તા. 24-08-2026ના રોજ સત્તાવાર હુકમ કરવામાં આવ્યો છે.
સરકારી હુકમ મુજબ વિવિધ નગરપાલિકાઓમાં ફરજ બજાવતા ચીફ ઓફિસરોની વહીવટી જરૂરિયાત અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને નવી જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે. બદલી પામેલા અધિકારીઓને તેમની નવી નિમણૂકની જગ્યાએ ફરજ સંભાળવાની રહેશે.
આ બદલીમાં ગાંધીનગર, વિરમગામ, બોરસદ, કડી, તારાપુર, મહેસાણા, ગોંડલ, વિસનગર, ચોટીલા, ઉમરેઠ, જામજોધપુર, ધોરાજી, કેશોદ, માંડવી સહિતની વિવિધ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે.
વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે ધાંગધ્રાના શ્રી મંટીલભાઈ પટેલની બદલી(વિરમગામ) કરવામાં આવેલ છે
વિભાગના હુકમમાં સંબંધિત અધિકારીઓને તેમની નવી જગ્યાએ તાત્કાલિક અસરથી ફરજ સંભાળવા સૂચના આપવામાં આવી છે.
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી
વિરમગામ
સરકારી હુકમ મુજબ વિવિધ નગરપાલિકાઓમાં ફરજ બજાવતા ચીફ ઓફિસરોની વહીવટી જરૂરિયાત અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને નવી જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે. બદલી પામેલા અધિકારીઓને તેમની નવી નિમણૂકની જગ્યાએ ફરજ સંભાળવાની રહેશે.
આ બદલીમાં ગાંધીનગર, વિરમગામ, બોરસદ, કડી, તારાપુર, મહેસાણા, ગોંડલ, વિસનગર, ચોટીલા, ઉમરેઠ, જામજોધપુર, ધોરાજી, કેશોદ, માંડવી સહિતની વિવિધ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે.
વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે ધાંગધ્રાના શ્રી મંટીલભાઈ પટેલની બદલી(વિરમગામ) કરવામાં આવેલ છે
વિભાગના હુકમમાં સંબંધિત અધિકારીઓને તેમની નવી જગ્યાએ તાત્કાલિક અસરથી ફરજ સંભાળવા સૂચના આપવામાં આવી છે.
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી
વિરમગામ