🔥 ट्रेंडिंग હિંમતનગરના કાટવાડ વિસ્તારમાં ખુલ્લી જગ... ભાજપમાં જોડવા માટે ધમકી સામે આંદોલન શર... अंबिकापुर के निजी स्कूल में छात्र को क... ભારે વરસાદની આગાહીને પગલે શાળા-કોલેજોમ... વૈભવ સૂર્યવંશી બન્યા પૂર્વ ઝોન ટીમના ઉ... મોંઘવારીમાં વધારો: કાલથી ભાવ વધવા માટે...
30 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બાલાસિનોરમાં નવી એસ.ટી. બસ સેવા શરૂ કરવાની માંગ
स्थानीय

બાલાસિનોરમાં નવી એસ.ટી. બસ સેવા શરૂ કરવાની માંગ

✍️ रिपोर्टर: Alpeshkumar Rathod 🗓 30 जुल. 2026, 03:28 PM 👁 31

બાલાસિનોરના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો માટે નવી એસ.ટી. બસ સેવા શરૂ કરવાની માંગ સાથે આજે પ્રાંત સાહેબને લેખિત અરજી આપવામાં આવી.

બાલાસિનોરમાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોના હિતમાં નવી એસ.ટી. બસ સેવા શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. આ અંગે આજે બાલાસિનોરના પ્રાંત સાહેબને લેખિત અરજી આપવામાં આવી છે, જેમાં બસ સેવા શરૂ કરવા માટેનો રૂટ દર્શાવાયો છે. માંગેલ રૂટમાં બાલાસિનોર એસ.ટી. બસ ડેપો, રાજપૂરી દરવાજા, સલિયાવાડી દરવાજા, એમ. એન્ડ ઓ. શાળા, શ્રેયસ શાળા, બિલનામુવાડા, એ.સી.સી. ક્વોરી અને નાના બળિયાદેવ ડેરીનો સમાવેશ થાય છે.

આ નવી બસ સેવા શરૂ થવાથી મોટા બળિયાદેવ, નાના બળિયાદેવ, બિલનામુવાડા, વજેપુરા સહિતના 60થી વધુ વિદ્યાર્થીઓ અને અનેક ગ્રામજનોને સીધો લાભ મળશે. અગાઉ, બસ સલિયાવાડી દરવાજા માર્ગે જતી હતી, પરંતુ સ્થાનિક ડ્રાઈવર-કંડક્ટરની મનમાનીને રૂટ બદલીને માનવ હોટેલ તરફ કરવામાં આવ્યો હતો. પરિણામે, આ વિસ્તારમાં આવેલી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દરરોજ 2થી 3 કિમી પગપાળા જવું પડે છે.

આ મુદ્દે અગાઉ પણ અનેક રજૂઆતો કરવામાં આવી હતી. છેલ્લે 21 જુલાઈ, 2026ના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આ બાબતે અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ, માનનીય પ્રાંત સાહેબશ્રીએ અલગ બસ સેવા માટે અરજી કરવાની સૂચના આપી હતી. તે અનુસંધાને આજે હિતુભા અરજી આપવામાં આવી છે.
📲Get App