🔥 TRENDING The Odyssey Opens with Strong Weekend... Christopher Nolan’s ‘The Odyssey’ Surp... The Odyssey Surpasses Box‑Office Expec... SBI to Handle Ram Temple Donation Coun... National Flag Falls in Nagole, Residen... Nathan Smith Crowned ICC Player of the...
21 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વૃક્ષોનું આવરણ ઊભું કરીએ,
વસુંધરાને મનોરમ્ય બનાવીએ !!

વૃક્ષોનું આવરણ ઊભું કરીએ, વસુંધરાને મનોરમ્ય બનાવીએ !!

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 19 Jul 2026, 06:31 PM 👁 33
વૃક્ષોનું આવરણ ઊભું કરીએ,
વસુંધરાને મનોરમ્ય બનાવીએ !!

વિસનગર તાલુકાના લાછડી મુકામે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રેરિત એક પેડ મા કે નામ 3.0 અભિયાન અંતર્ગત તથા તાલુકાકક્ષાના વન મહોત્સવ નિમિત્તે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ તથા વનકવચના લોકાર્પણ સમારોહમાં સહભાગી થઈને પ્રકૃતિ સેવાનો લાભ પ્રાપ્ત કર્યો.

પ્રાકૃતિક સંવર્ધન અર્થે એક ઉત્સવ તરીકે મનાવવામાં આવતા વન મહોત્સવ એ પર્યાવરણ સંરક્ષણમાં સમસ્ત માનવ સમાજની ભાગીદારી વધારવા માટે ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી છે.

ટકાઉ અને સુરક્ષિત ભવિષ્ય માટે વૃક્ષારોપણ અતિ આવશ્યક છે, ત્યારે ચોમાસાને આવકારવા જરૂરથી વૃક્ષારોપણ કરીએ.

માતૃશક્તિના સન્માન તથા હરિયાળી ધરાના નિર્માણ અર્થે સંકલ્પબદ્ધ છે મોદી સરકાર
📲Get App