🔥 TRENDING Mandaadi Sees Strong Push in Second We... New Immersive Indulgence Feature Launc... UN Releases New World Map Redefining S... Former Asia No.1 Rupa Bayor Secures Sp... Voting Begins for Chandigarh Senate El... Indore Municipal Corp to Immerses 100+...
20 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

ભાદરવી પૂનમના મહામેળામાં લાખો ભક્તો અંબાજી તરફ 'જય અંબે'ના નાદ સાથે આગળ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 20 Sep 2026, 10:18 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાદરવી પૂનમના મહામેળામાં ગુજરાત અને અન્ય રાજ્યોના લાખો ભક્તો અંબાજી તરફ 'જય અંબે'ના નાદ સાથે પદયાત્રા કરી રહ્યા છે.

ભાદરવી પૂનમના મહામેળામાં પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે માઈભક્તોનું અવિરત કીડીયારું ઊભરાયું છે. ગુજરાતના ખૂણે-ખૂણેથી તેમજ અન્ય રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ હાથમાં મોટી ધજાઓ અને માતાજીના રથ સાથે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે.

અમદાવાદ-પાલનપુર, હિંમતનગર-દાંતા અને આબુ રોડ તરફથી અંબાજી તરફ જતા તમામ માર્ગો ભક્તિના રંગે રંગાયા છે. 'બોલ માડી અંબે...' ના નાદથી અરવલ્લીની ગિરિમાળાઓ ગૂંજી ઊઠીરસ્તાઓ પર ચોમેર માત્ર ને માત્ર પદયાત્રીઓના સંઘો, હાથમાં લહેરાતી લાલ-પીળી ધજાઓ અને "બોલ માડી અંબે, જય જય અંબા" ના જયઘોષ જ સંભળાઈ રહ્યા છે.

ઉઘાડા પગે, માથે ધજા અને રથ ખેંચતા પદયાત્રીઓનો ઉત્સાહ અને અટલ આસ્થા જોવા જેવી છે. વરસાદ કે ગરમીની પરવા કર્યા વિના લાખો ભક્તો અંબાજી તરફ સતત આગળ વધી રહ્યા છે.

રસ્તા પર ઠેર-ઠેર સેવા કેમ્પ સ્થાપિત કરવામાં આવ્યા છે, જે ભક્તોને આરામ અને સહાયતા પૂરી પાડે છે.
📲Get App