स्थानीय
સુરત: અચાનક વરસાદથી રસ્તાઓમાં પાણી ભરાવાનું દુર્ઘટન
સુરતમાં આજે અચાનક હવામાન ફેરફારથી રસ્તાઓમાં પાણી ભરાવાનું દુર્ઘટન સર્જાયું, જેના કારણે વાહનચાલકો અને નોકરિયાતો કલાકો સુધી અટવાઈ ગયા.
સુરતમાં આજે (20 સપ્ટેમ્બર) હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો. વહેલી સવારથી આકાશ આંશિક વાદળછાયું હોવા છતાં ભારે ઉકળાટ અને અસહ્ય બફારો અનુભવાયા, સૂર્યનારાયણના તાપ અને ભેજવાળા પવનોને પગલે લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા હતા.
બપોર પછી ભારે વરસાદથી પોણા બે ઇંચ વરસાદમાં ઉધના અને વરાછા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા. મુખ્ય માર્ગો પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો, જેના લીધે નોકરિયાતો અને રાહદારીઓ કલાકો સુધી અટવાઈ પડ્યા.
દર ચોમાસે આ જ વિસ્તારમાં વારંવાર પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવાથી સ્થાનિક લોકોમાં તંત્રની લાપરવાહી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવા તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરી છે.
વરાછા વિસ્તારમાં પણ પરિસ્થિતિ અત્યંત દયનીય બની. વરાછા મેન રોડ અને કૃષ્ણનગર વિસ્તારમાં માત્ર 10 થી 15 મિનિટના ટૂંકા ગાળાના વરસાદમાં જ ચારેય તરફ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનો બંધ પડી જવાની ઘટનાઓ બની, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
બપોર પછી ભારે વરસાદથી પોણા બે ઇંચ વરસાદમાં ઉધના અને વરાછા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા. મુખ્ય માર્ગો પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો, જેના લીધે નોકરિયાતો અને રાહદારીઓ કલાકો સુધી અટવાઈ પડ્યા.
દર ચોમાસે આ જ વિસ્તારમાં વારંવાર પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવાથી સ્થાનિક લોકોમાં તંત્રની લાપરવાહી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવા તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરી છે.
વરાછા વિસ્તારમાં પણ પરિસ્થિતિ અત્યંત દયનીય બની. વરાછા મેન રોડ અને કૃષ્ણનગર વિસ્તારમાં માત્ર 10 થી 15 મિનિટના ટૂંકા ગાળાના વરસાદમાં જ ચારેય તરફ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનો બંધ પડી જવાની ઘટનાઓ બની, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.