अपराध
ગણેશોત્સવ દરમિયાન અમદાવાદ સાયબર ક્રાઇમ ટીમે પંડાલોમાં ડિજિટલ સુરક્ષા જાગૃતિ અભિયાન ચલાવ્યું..
यहाँ देखें:
▶️ YouTube
ગણેશોત્સવની ઉજવણી સાથે અમદાવાદ સાયબર ક્રાઇમ ટીમે શહેરનાં વિવિધ ગણેશ પંડાલોમાં મુલાકાત લઈને નાગરિકોને ઑનલાઇન ફ્રોડ અને સાયબર સુરક્ષા વિશે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું..
અમદાવાદ:-
સાયબર ક્રાઇમ ટીમે ગણેશોત્સવની ભક્તિમય ઉજવણી દરમિયાન શહેરનાં વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લઈને નાગરિકો સાથે સીધો સંવાદ સાધ્યો.આ મુલાકાતો દ્વારા ડિજિટલ સુરક્ષા જાગૃતિનો સંદેશો પહોંચાડવામાં આવ્યો.ટીમે ઉત્સવની ઉલ્લાસભરી વાતાવરણમાં ઓનલાઇન ફ્રોડ,ડિજિટલ અરેસ્ટ, અજાણી લિંક્સ અને સોશિયલ મીડિયા પર સાવચેતી રાખવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું.નાગરિકોને શંકાસ્પદ લિંક્સ અને અણધારી સંદેશાઓને અવગણવા અને વ્યક્તિગત માહિતીની સુરક્ષા માટે સાવધાન રહેવા માટે સલાહ આપવામાં આવી..
સાઇબર ફ્રોડની સ્થિતિમાં તાત્કાલિક ૧૯૩૦ પર સંપર્ક કરવા અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવવા માટે માર્ગદર્શન આપ્યું. આ પગલાં દ્વારા નાગરિકો પોતાના ડિજિટલ સુરક્ષા અધિકારોનું સક્રિય રીતે રક્ષણ કરી શકે છે.ટીમે ભારપૂર્વક જણાવ્યું કે સાયબર સુરક્ષા એ સાચી સાવધાની છે અને ગણેશોત્સવ જેવા ઉત્સવોમાં પણ ડિજિટલ વાતાવરણને સુરક્ષિત રાખવું અનિવાર્ય છે.
સાયબર ક્રાઇમ ટીમે ગણેશોત્સવની ભક્તિમય ઉજવણી દરમિયાન શહેરનાં વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લઈને નાગરિકો સાથે સીધો સંવાદ સાધ્યો.આ મુલાકાતો દ્વારા ડિજિટલ સુરક્ષા જાગૃતિનો સંદેશો પહોંચાડવામાં આવ્યો.ટીમે ઉત્સવની ઉલ્લાસભરી વાતાવરણમાં ઓનલાઇન ફ્રોડ,ડિજિટલ અરેસ્ટ, અજાણી લિંક્સ અને સોશિયલ મીડિયા પર સાવચેતી રાખવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું.નાગરિકોને શંકાસ્પદ લિંક્સ અને અણધારી સંદેશાઓને અવગણવા અને વ્યક્તિગત માહિતીની સુરક્ષા માટે સાવધાન રહેવા માટે સલાહ આપવામાં આવી..
સાઇબર ફ્રોડની સ્થિતિમાં તાત્કાલિક ૧૯૩૦ પર સંપર્ક કરવા અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવવા માટે માર્ગદર્શન આપ્યું. આ પગલાં દ્વારા નાગરિકો પોતાના ડિજિટલ સુરક્ષા અધિકારોનું સક્રિય રીતે રક્ષણ કરી શકે છે.ટીમે ભારપૂર્વક જણાવ્યું કે સાયબર સુરક્ષા એ સાચી સાવધાની છે અને ગણેશોત્સવ જેવા ઉત્સવોમાં પણ ડિજિટલ વાતાવરણને સુરક્ષિત રાખવું અનિવાર્ય છે.