🔥 TRENDING પાટીદાર ખેડૂત સેવા સંધના નેતાએ ગામડાઓન... શિનોર તાલુકાના મિંઢોળ ગામે વડાપ્રધાન ન... રાજકોટમાં વરસાદી માહોલ રાજકોટમાં વરસાદી માહોલ GSRTC તૈયાર, 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મ... Chhattisgarh Launches Mahatari Vandan...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સેવા સંકલ્પ અભિયાનમાં તાલાલા ખાતે સિસ્મોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે ભૂકંપ સુરક્ષા કાર્યશાળા યોજી

✍️ Reporter: Sudip Gadhiya 🗓 18 Sep 2026, 09:20 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સેવા સંકલ્પ અભિયાન હેઠળ તાલાલા ખાતે સિસ્મોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે ભૂકંપ પૂર્વતૈયારી અને જોખમ મૂલ્યાંકન અંગે કાર્યશાળા યોજી, જેમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડે ઉપસ્થિત રહ્યા.

સેવા સંકલ્પ અભિયાન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ખાતે સિસ્મોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે ‘સુરક્ષા–ભૂકંપ પૂર્વતૈયારી, ભૂકંપીય જોખમ મૂલ્યાંકન અને માઇક્રોઝોનેશન’ વિષયક કાર્યશાળા યોજી.

તજજ્ઞોએ ભૂકંપ સમયે, ભૂકંપ પહેલા અને ભૂકંપ બાદ કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ તે અંગે વૈજ્ઞાનિક માર્ગદર્શન આપ્યું.

ઉપસ્થિત ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના દ્રષ્ટિવંત નેતૃત્વ અને જનસેવાની ઉજવણીરૂપ ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાયેલી આ કાર્યશાળા થકી તાલાલા અને તેની આસપાસના વિસ્તારના નાગરિકોમાં ભૂકંપ સામે જનજાગૃતિ અને આપત્તિ પ્રતિકારનું માર્ગદર્શન મળશે.

આ પ્રકારની કાર્યશાળાઓથી સ્થાનિક સમુદાયમાં આપત્તિ પ્રત્યેની તૈયારી અને સુરક્ષા જાગૃતિમાં વધારો થશે, જે ભવિષ્યમાં ભૂકંપ જેવી આપત્તિઓ સામે પ્રતિકાર ક્ષમતા વધારશે.
📲Get App