🔥 ट्रेंडिंग मुख्यमंत्री डॉ. प्रमोद सावंत ने कोठंबी... आकाशीय बिजली गिरने से 1 की मौत २०२६-२७ : नाशिक जिल्हा परिषदेचा नियतव्... ઈન્દ્રાડથી ટોરેન્ટ કંપની સુધીના માર્ગમ... मध्यप्रदेश ने करोड़ों में 50,000 हिन्द... राष्ट्रीय लोक अदालत ने बिहार में 4 लाख...
14 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ અમરેલી દ્વારા ધારીના મોણવેલમાં પ્રાકૃતિક ખેતી અંગે ૨૫૦ ખેડૂતો માટે તાલીમ યોજાઈ

✍️ रिपोर्टर: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 08 सित. 2026, 09:03 AM 👁 25
यहाँ देखें: 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ અમરેલી દ્વારા ધારીના મોણવેલમાં પ્રાકૃતિક ખેતી અંગે ૨૫૦ ખેડૂતો માટે તાલીમ યોજાઈ

પ્રાકૃતિક ખેતી સ્વસ્થ જમીનથી સ્વસ્થ સમાજ અને ટકાઉ ભવિષ્ય તરફની દિશા : કુલપતિશ્રી ડૉ. સી. કે. ટિંબડિયા, યુનિવર્સિટી ઓફ નેચરલ ફાર્મિંગ

અમરેલી તા. ૦૭ સપ્ટેમ્બર, ૨૦૨૬
ધારી તાલુકાના મોણવેલ ગામ ખાતે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ સંલગ્ન કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલી દ્વારા ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી વિષયક વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોણવેલ તથા આસપાસના વિસ્તારોના ૨૫૦થી વધુ ખેડૂતો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
કાર્યક્રમના મુખ્ય અતિથિ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલના કુલપતિશ્રી ડૉ. સી. કે. ટિંબડિયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું તત્ત્વજ્ઞાન તથા તેના વૈજ્ઞાનિક આધાર અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વર્તમાન સમયમાં પ્રાકૃતિક ખેતીની આવશ્યકતા, રાસાયણિક અને પ્રાકૃતિક ખેતી વચ્ચેના તફાવત તેમજ જમીનની તંદુરસ્તી જાળવવામાં પ્રાકૃતિક ખેતીની ભૂમિકા સમજાવી હતી.

કુલપતિશ્રીએ જીવામૃત અને બીજામૃતના ઉપયોગથી જમીનમાં સૂક્ષ્મજીવોની સંખ્યા તથા જૈવિક સક્રિયતા વધે છે અને પાકને જરૂરી પોષક તત્ત્વો ઉપલબ્ધ થાય છે તેમ જણાવ્યું હતું. તેમણે પ્રાકૃતિક ખેતીમાં મિશ્ર પાક પદ્ધતિનું મહત્વ સમજાવતા જીવાત-રોગ નિયંત્રણ તેમજ ખેડૂતોની આવકમાં સ્થિરતા લાવવામાં તેના ફાયદાઓ અંગે માહિતી આપી હતી. દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના મહત્વ પર ભાર મૂકતાં તેમણે દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી તૈયાર થતા પ્રાકૃતિક કૃષિ ઇનપુટ્સ જમીનની તંદુરસ્તી જાળવવામાં મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું.

આ પ્રસંગે સુડાવડ ગામના સરપંચ તથા પ્રગતિશીલ પ્રાકૃતિક ખેડૂત શ્રી પ્રવીણભાઈ આસોદરિયાએ પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોના વેચાણ અને બજાર વ્યવસ્થા અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પ્રાકૃતિક પેદાશોની ગુણવત્તા, ગ્રાહકો સુધી પહોંચ અને યોગ્ય બજાર વ્યવસ્થાના મહત્વ અંગે સમજણ આપી હતી.
કાર્યક્રમમાં મોણવેલ ગામના અગ્રણી શ્રી કનુભાઈ સુખડિયા, શ્રી ધનજીભાઈ ડાવરા તથા સરપંચશ્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી સ્વસ્થ સમાજ તથા સ્વચ્છ અને સંતુલિત પર્યાવરણના નિર્માણમાં યોગદાન આપવા અપીલ કરી હતી.

તાલીમ કાર્યક્રમમાં કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલીના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. કે. વી. મશાલિયા, રૂપાલી વઘાસીયા, ખેતી અધિકારી જાનવી પરમાર તથા માહિતી પ્રૌદ્યોગિકી નિષ્ણાત શ્રી કે. વી. ઠુંમર ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત શ્રી દલખાણિયા પગાર કેન્દ્ર શાળાના આચાર્યશ્રી હેમલભાઈ જયસ્વાલે કાર્યક્રમના આયોજનમાં સહયોગ આપ્યો હતો.

કાર્યક્રમના અંતે ખેડૂતો સાથે પ્રશ્નોત્તરી યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતીને લગતા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા અને નિષ્ણાતો દ્વારા તેમના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા. તાલીમ કાર્યક્રમના સફળ આયોજન બદલ ખેડૂતો દ્વારા આયોજકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનો સમાપન વંદે માતરમ્‌ના ગાન સાથે કરવામાં આવ્યું હતું તેમ આચાર્યશ્રી કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ,અમરેલીની એક યાદીમાં જણાવાયું છે.
📲Get App