🔥 TRENDING Manipur Protesters Enter Third Day, Pr... Five Civil Society Groups Convene Publ... Man gets 25-year jail term for POCSO v... बिहार के चेतन शुक्ला ने 25 लाख रुपये/म... Meghalaya High Court Upholds POCSO Con... Meghalaya CM Announces Record Educatio...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
તિલકવાડામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમભેર ઉજવણી, મંદિરોમાં ભક્તિમય માહોલ
Religion

તિલકવાડામાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ધામધૂમભેર ઉજવણી, મંદિરોમાં ભક્તિમય માહોલ

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 05 Sep 2026, 01:08 AM 👁 31
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તિલકવાડામાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે વિવિધ મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના અને ભજન-કીર્તન યોજાયા હતા. મધરાત્રીના સમયે ભગવાનના જન્મ સાથે સમગ્ર નગરમાં ભક્તિભાવનું સુંદર દૃશ્ય જોવા મળ્યું હતું.

તિલકવાડા ખાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ધામધૂમભેર, શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વને લઈને સમગ્ર તિલકવાડા નગરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો. વિવિધ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની અવરજવર જોવા મળી હતી અને રાત્રિના જન્મોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

તિલકવાડાના શ્રી દ્વારકાધીશ મંદિર, તિલકેશ્વર મહાદેવ મંદિર, વિઠ્ઠલનાથ મંદિર તેમજ શ્રી મહાદેવ મંદિર ખાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે વિશેષ પૂજા-અર્ચના, ભજન-કીર્તન અને આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મંદિરોને રંગબેરંગી રોશની અને ફૂલોના શણગારથી સજાવવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર મંદિર પરિસરનું વાતાવરણ આકર્ષક અને ભક્તિમય બની ગયું હતું. આ ઉપરાંત હરનીષભાઈ સોનીના નિવાસસ્થાને પણ શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં શ્રીકૃષ્ણની સુંદર મૂર્તિનું મનમોહક શણગાર કરવામાં આવ્યું હતું.

મધરાત્રીના પવિત્ર સમયે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થતાં જ ભક્તોમાં આનંદની લહેર પ્રસરી ગઈ હતી. ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી’ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. જન્મોત્સવ બાદ ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ આરતી કરવામાં આવી હતી અને ઉપસ્થિત ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે તિલકવાડામાં નાના-મોટા સૌ કોઈએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભક્તોના ઉમંગ, મંદિરના ઘંટનાદ, ભજન-કીર્તન અને જયઘોષથી સમગ્ર નગરમાં જાણે ગોકુળનગરી જેવો માહોલ સર્જાયો હતો. આ સમગ્ર ઉજવણી દરમિયાન શ્રદ્ધાળુઓએ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને સૌએ સુખ, શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી, જેથી તિલકવાડામાં ધાર્મિક આસ્થા, એકતા અને ભક્તિભાવનું સુંદર દૃશ્ય જોવા મળ્યું હતું.
📲Get App