🔥 TRENDING રાજકોટ વિભાગના 10 ડેપોમાં એપ્રેન્ટીસ ભ... દારૂના દરોડા દરમિયાન પોલીસ પર હુમલો स्पोर्ट्स हब बनेगा कोरबा, 2 इनडोर स्टे... નાની લાખાવડમાં નવીન ડેરીનું ઉદ્ઘાટન, ક... જસદણ ડિવિઝનમાં LCBની મોટી દારૂની ધરપત,... NGT directs Haryana authorities to cle...
30 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સૌરાષ્ટ્ર-કચ્છમાં દુષ્કાળના સંકટ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ, બ્રિજરાજ સોલંકી, પિયૂષ પરમારની મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 30 Aug 2026, 11:52 AM 👁 3
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
તારીખ: 30/08/2026

સૌરાષ્ટ્ર-કચ્છમાં દુષ્કાળના સંકટ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ, બ્રિજરાજ સોલંકી, પિયૂષ પરમારની મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ

ઈસુદાન ગઢવીના અચોક્કસ મુદતના ધરણા આંદોલન સામે નમતું જોખી સરકારે સૌની યોજનામાંથી પાણી છોડવાની જાહેરાત કરી : પ્રવીણ રામ AAP

’આપ’ ના આંદોલનને કારણે પ્રથમ સફળતા મળી, મચ્છુ-૨ ડેમમાંથી વાંકાનેર, જામનગર અને પોરબંદરના જળાશયોમાં પાણી છોડવાનો નિર્ણય : પ્રવીણ રામ AAP

પાણી છોડવાની જાહેરાત એ જનશક્તિ અને ખેડૂતોના સત્યાગ્રહની જીત, પરંતુ સરકારી મર્યાદાઓ સામે સવાલો યથાવત : પ્રવીણ રામ AAP

સિંચાઈનું પાણી ખેડૂતોના ખેતર સુધી ક્યારે પહોંચશે તે અંગે સ્પષ્ટતાનો અભાવ, વિલંબ થશે તો સુકાતો પાક બચાવવો અશક્ય : પ્રવીણ રામ AAP

માત્ર થોડા જળાશયો ભરી દેવાથી દુષ્કાળની ગંભીરતા ઓછી ન થાય, જમીનના ભેજ અને પાક નિષ્ફળતાનો તાત્કાલિક સર્વે કરવાની માંગ : પ્રવીણ રામ AAP

દુષ્કાળ ઘોષણા, મફત ઘાસચારો અને વીજ બિલ માફી સહિતની બાકી માગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી આંદોલન જારી રહેશે : પ્રવીણ રામ AAP
📲Get App