વિરમગામ તાલુકાના થોરીમુબારક ગામમાં રસ્તાઓ પર ગંદુ પાણી ભરાતા ગ્રામજનો પરેશાન
અમદાવાદ ગ્રામ્યના વિરમગામ તાલુકાના થોરીમુબારક ગામમાં રસ્તાઓ પર ગંદુ તથા દુષિત પાણી ભરાઈ રહેતા ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામના રહેણાંક વિસ્તારોમાંથી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે રસ્તાઓ પર પાણીના ખાબોચિયા સર્જાયા છે.
રસ્તાઓ પર લાંબા સમયથી પાણી ભરાઈ રહેતા વાહનચાલકો તેમજ રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, ગંદા પાણીના કારણે વિસ્તારમાં દુર્ગંધ તેમજ મચ્છરજન્ય સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે.
ગ્રામજનોએ ગંદા પાણીના નિકાલ માટે યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ઉભી કરવા અને રસ્તાઓ પરથી પાણી દૂર કરવા તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી
વિરમગામ
રસ્તાઓ પર લાંબા સમયથી પાણી ભરાઈ રહેતા વાહનચાલકો તેમજ રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, ગંદા પાણીના કારણે વિસ્તારમાં દુર્ગંધ તેમજ મચ્છરજન્ય સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે.
ગ્રામજનોએ ગંદા પાણીના નિકાલ માટે યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ઉભી કરવા અને રસ્તાઓ પરથી પાણી દૂર કરવા તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી
વિરમગામ