🔥 TRENDING Alia Bhatt to Produce New Film ‘Don’t... Kannada Star Shivarajkumar to Debut in... Deepika Padukone’s team refutes report... Director Siddharth Anand Hails Yash, S... Bollywood Hungama publishes 359 photos... Koffee With Karan Season 9 Set to Retu...
25 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

આદિવાસી સમાજના જમીન અને જંગલ હક્કોના પ્રશ્ને ખેડબ્રહ્મામાં બેઠક

✍️ Reporter: Angari Yogesh kumar 🗓 25 Aug 2026, 04:31 AM 👁 5
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અખિલ ભારતીય ટાઇગર સેનાની આગેવાનીમાં રાજસ્થાન-ગુજરાતના આદિવાસી સમાજની બેઠક યોજાઈ — જંગલ જમીન, વન વિભાગની કાર્યવાહી અને સમાજના હક્કોના મુદ્દે ચર્ચા ખેડબ્રહ્માઆદિવાસી સમાજના જળ જંગલ અ

આદિવાસી સમાજના જમીન અને જંગલ હક્કોના પ્રશ્ને ખેડબ્રહ્મામાં બેઠક

અખિલ ભારતીય ટાઇગર સેનાની આગેવાનીમાં રાજસ્થાન-ગુજરાતના આદિવાસી સમાજની બેઠક યોજાઈ — જંગલ જમીન, વન વિભાગની કાર્યવાહી અને સમાજના હક્કોના મુદ્દે ચર્ચા

ખેડબ્રહ્માઆદિવાસી સમાજના જળ જંગલ અને જમીન સહિતના વિવિધ પ્રશ્નોને લઈને અખિલ ભારતીય ટાઇગર સેના દ્વારા ખેડબ્રહ્મા ખાતે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મોઢી ધર્મશાળા ખાતે અંબિકા ટ્રસ્ટ ખેડબ્રહ્મા ખાતે યોજાયેલી આ બેઠકમાં રાજસ્થાન અને ગુજરાતના આદિવાસી સમાજના આગેવાનો તથા સામાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન આદિવાસી સમાજને પોતાના વિસ્તારમાં મળવાપાત્ર મૂળભૂત સુવિધાઓ જંગલમાં વસવાટ કરતા પરિવારોના હક્કોજંગલની જમીનના સનદ સહિતના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને આદિવાસી પરિવારોને જંગલની જમીન અંગે હક્કો અને કાયદેસરની માન્યતા મળે તે માટે સરકાર સમક્ષ રજૂઆત કરવાની તૈયારી કરવામાં આવી હતી.

બેઠકમાં સુપ્રીમ કોર્ટના 20 નવેમ્બર, 2025ના આદેશના સંદર્ભમાંજંગલ અને ડુંગરાળ વિસ્તારોમાં જમીન સંબંધિત મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આદિવાસી સમાજના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી હતી કે વર્ષોથી જંગલ વિસ્તારમાં વસવાટ કરતા અને જમીનનો ઉપયોગ કરતા આદિવાસી પરિવારોના હક્કોનું રક્ષણ કરવામાં આવે અને તેમને જરૂરી કાયદેસર દસ્તાવેજો તથા સનદ આપવામાં આવે.

આ ઉપરાંત, આદિવાસી વિસ્તારોમાં વન વિભાગ દ્વારા પ્લાન્ટેશન તથા વનીકરણ નર્સરીના નામે જમીન પર કરવામાં આવતી કામગીરી અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા આ પ્રકારની કાર્યવાહીથી સ્થાનિક આદિવાસી પરિવારોના જમીન હક્કો અને જીવનનિર્વાહ પર અસર ન થાય તે માટે તાત્કાલિક યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી.

અખિલ ભારતીય ટાઇગર સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી એસ.એસ. ખરાડી સાહેબ દ્વારા જણાવાયું હતું કે, આદિવાસી સમાજના હક્કોના પ્રશ્ને આગામી સમયમાં જરૂર પડ્યે ગાંધીજીના સિદ્ધાંતો મુજબ શાંતિપૂર્ણ આંદોલન કરવામાં આવશે અને સરકાર તથા સંબંધિત તંત્ર સમક્ષ આદિવાસી સમાજની માંગણીઓ મજબૂત રીતે રજૂ કરવામાં આવશે.

બેઠકમાં ઉપસ્થિત સામાજિક કાર્યકર્તાઓ દ્વારા પોતાના વિસ્તારોના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા અને આદિવાસી સમાજના હક્કો માટે એકજૂથ થઈને આગામી સમયમાં લડત આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આદિવાસી સમાજની મુખ્ય માંગણીઓમાં જંગલની જમીનના હક્કો અંગે યોગ્ય નિર્ણય, પાત્ર પરિવારોને જમીનની સનદ આપવી, વન વિભાગની જમીન સંબંધિત કામગીરીની સમીક્ષા કરવી અને આદિવાસી પરિવારોના પરંપરાગત હક્કોનું રક્ષણ કરવું સામેલ છે.

આ બેઠક બાદ હવે આગામી સમયમાં ગુજરાત સરકાર તેમજ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આદિવાસી સમાજના પ્રશ્નોને લઈને રજૂઆત અને કાયદેસરની કાર્યવાહી કરવાની દિશામાં આગેવાનો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી હોવાનું જણાવાયું છે.

સંદેશ સ્પષ્ટ છે જળ જંગલ અને જમીન પર આદિવાસી સમાજના કાયદેસર હક્કોનું રક્ષણ થવું જોઈએ
📲Get App