Local
હિંમતનગરમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના નવા ભવનનું ભૂમિપૂજન સંપન્ન
Watch on:
▶️ YouTube
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના નવીન ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
હિંમતનગર ખાતે આજે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, સાબરકાંઠા જિલ્લા શાખાના નવીન રેડક્રોસ ભવનના ભૂમિપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે ઉપસ્થિત રહીને ભૂમિપૂજન વિધિમાં સહભાગી થવાની સાથે સૌને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે રેડક્રોસ સોસાયટીની સેવાભાવી કામગીરીને બિરદાવવામાં આવી હતી. “માનવ સેવા એ જ સાચી સેવા”ના સંકલ્પ સાથે રેડક્રોસની સેવાપ્રવૃત્તિઓને સતત આગળ વધારવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. રેડક્રોસ સોસાયટી દ્વારા જરૂરિયાતમંદો, દર્દીઓ અને સમાજના વિવિધ વર્ગોની સેવા માટે કરવામાં આવતી માનવતાલક્ષી કામગીરીને વધુ સુદૃઢ બનાવવા માટે આ નવીન ભવન મહત્વપૂર્ણ સાબિત થશે.
આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલા, કલેક્ટર લલિત નારાયણ સંધુ, નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા, કારોબારી અધ્યક્ષ રાહુલભાઈ પટેલ, ડૉ. ભુપેન્દ્રભાઈ ગોપલાણી, મોહનકાકા લાટી પરિવાર, દક્ષેશભાઈ શાહ, સી.સી. શેઠ, કપૂરભાઈ શાહ, અભયભાઈ શાહ અને કલ્પેશભાઈ દવે સહિતના સામાજિક અને રાજકીય આગેવાનો, નગરના શ્રેષ્ઠિઓ તથા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે રેડક્રોસ સોસાયટીની સેવાભાવી કામગીરીને બિરદાવવામાં આવી હતી. “માનવ સેવા એ જ સાચી સેવા”ના સંકલ્પ સાથે રેડક્રોસની સેવાપ્રવૃત્તિઓને સતત આગળ વધારવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. રેડક્રોસ સોસાયટી દ્વારા જરૂરિયાતમંદો, દર્દીઓ અને સમાજના વિવિધ વર્ગોની સેવા માટે કરવામાં આવતી માનવતાલક્ષી કામગીરીને વધુ સુદૃઢ બનાવવા માટે આ નવીન ભવન મહત્વપૂર્ણ સાબિત થશે.
આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલા, કલેક્ટર લલિત નારાયણ સંધુ, નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા, કારોબારી અધ્યક્ષ રાહુલભાઈ પટેલ, ડૉ. ભુપેન્દ્રભાઈ ગોપલાણી, મોહનકાકા લાટી પરિવાર, દક્ષેશભાઈ શાહ, સી.સી. શેઠ, કપૂરભાઈ શાહ, અભયભાઈ શાહ અને કલ્પેશભાઈ દવે સહિતના સામાજિક અને રાજકીય આગેવાનો, નગરના શ્રેષ્ઠિઓ તથા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.