Local
સુત્રાપાડા માં ખેડૂતોનો ઉગ્ર વિરોધ
ગીર સોમનાથ
સુત્રાપાડામાં ખેડૂતોનો ઉગ્ર વિરોધ
સુત્રાપાડા તાલુકામાં ખાનગી કંપની દ્વારા માઇનિંગના ખાડામાંથી મોટા પ્રમાણમાં ભૂગર્ભ જળ બહાર કાઢવાની તૈયારી સામે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.
સિંગસર, બળેવલા, થોરડી, કણજોતર, રાખેજ અને ધામળેજ સહિતના ગામોના ખેડૂતો પાણીના વેડફાટથી કૂવા-બોરવેલના જળસ્તર ઘટવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે સિંચાઈ માટે પાણીની તંગી વચ્ચે લાખો લીટર ભૂગર્ભ જળ બહાર કાઢવામાં આવશે તો ઊભા પાકને નુકસાન થઈ શકે છે.
સિમેન્ટ કંપની પાસે પાણી ઉપાડવા અને નિકાલ માટે જરૂરી કાયદેસરની મંજૂરી છે કે કેમ તે અંગે પણ ખેડૂતો સવાલ ઉઠાવી રહ્યા છે.
તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન સાથે આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી છે.
બાઈટ માનસિંહ ચોહાણ ખેડૂત
બાઈટ ભરત રાઠોડ ખેડૂત
સુત્રાપાડામાં ખેડૂતોનો ઉગ્ર વિરોધ
સુત્રાપાડા તાલુકામાં ખાનગી કંપની દ્વારા માઇનિંગના ખાડામાંથી મોટા પ્રમાણમાં ભૂગર્ભ જળ બહાર કાઢવાની તૈયારી સામે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.
સિંગસર, બળેવલા, થોરડી, કણજોતર, રાખેજ અને ધામળેજ સહિતના ગામોના ખેડૂતો પાણીના વેડફાટથી કૂવા-બોરવેલના જળસ્તર ઘટવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે સિંચાઈ માટે પાણીની તંગી વચ્ચે લાખો લીટર ભૂગર્ભ જળ બહાર કાઢવામાં આવશે તો ઊભા પાકને નુકસાન થઈ શકે છે.
સિમેન્ટ કંપની પાસે પાણી ઉપાડવા અને નિકાલ માટે જરૂરી કાયદેસરની મંજૂરી છે કે કેમ તે અંગે પણ ખેડૂતો સવાલ ઉઠાવી રહ્યા છે.
તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન સાથે આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી છે.
બાઈટ માનસિંહ ચોહાણ ખેડૂત
બાઈટ ભરત રાઠોડ ખેડૂત