🔥 TRENDING उरई में छोटे-छोटे कट बंद होने से सुधरी... ગુજરાતમાં નકલી દવાનું મોટું કૌભાંડ ઝડપ... Delhi Chief Minister Rekha Gupta Prays... BJP National Team Holds Meeting, Repor... Three Sisters, Including 9-Month-Old,... Monsoon retreats unevenly across India...
22 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

જૂનાગઢમાં ૭૭મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી: ૧૫ વન કવચ નિર્માણના કામો અંતિમ તબક્કામાં

✍️ Reporter: Samir Bhalodiya 🗓 22 Aug 2026, 06:40 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢમાં ઉર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાની અધ્યક્ષતામાં ૭૭મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં ૧,૨૦૦ વૃક્ષોના ઉછેર અને મિયાવાકી પદ્ધતિથી વન કવચ વિકસાવવા પર ભાર મૂકાયો.

સામાજિક વનીકરણ રેન્જ જૂનાગઢ તથા ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢમાં ૭૭મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉર્જા રાજ્ય મંત્રી અને જૂનાગઢ જિલ્લાના સહ પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણનો સંદેશ આપવામાં આવ્યો હતો. મંત્રીએ જણાવ્યું હતું કે માનવ જીવનના જન્મથી અંત સુધી વૃક્ષો સાથે અતૂટ સંબંધ છે અને તેમણે સૌને ‘એક પેડ માં કે નામ ૩.૦’ અભિયાનમાં જોડાવા આહ્વાન કર્યું હતું.

આ કાર્યક્રમમાં જાવીયા શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓએ આશરે ૧,૨૦૦ વૃક્ષોના ઉછેર અને જતનની જવાબદારી સ્વીકારી છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ૧૫ જેટલા વિવિધ વન કવચનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં છે. જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું હતું કે, મિયાવાકી પદ્ધતિથી વિકસાવવામાં આવી રહેલા આ વન કવચ સામાન્ય જંગલની તુલનામાં વધુ ઝડપથી અને ગાઢ રીતે તૈયાર થશે, જે શહેરમાં હરિયાળી વધારવાની સાથે પ્રવાસનને પણ વેગ આપશે.

કાર્યક્રમ દરમિયાન વન વિભાગના શ્રેષ્ઠ કર્મચારીઓ અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અંતમાં મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને નિઃશુલ્ક રોપા વિતરણ માટેના 'વૃક્ષ રથ'ને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મેયર ધર્મેશભાઈ પોશિયા, મ્યુનિસિપલ કમિશનર આઈ.આર. વાળા, વન વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App