🔥 ट्रेंडिंग दिल्ली सीएम रेखा गुप्ता ने वेल्लोर के... बीजेपी राष्ट्रीय टीम ने बैठक की, कानक... इब्‍गप्लांट खाने से तीन बहनें, 9 महीने... भारत में मानसून का प्रभाव घटता, कुछ क्... अर्शद खान का टेस्ट क्रिकेट में अधिकार... अमृतसर में 1.5 किलो हेरोइन बरामद, दो आ...
22 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સાબરકાંઠા: પ્રાંતિજમાં મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો, બે કિશોરો ઝડપાયા

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 22 अग. 2026, 06:22 PM 👁 10
यहाँ देखें: 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચે દલપુરના જોગણી માતાના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી બે કિશોરોને ઝડપી પાડ્યા છે.

સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દલપુરના જોગણી માતાના મંદિરમાં થયેલી ચોરીનો સફળતાપૂર્વક ભેદ ઉકેલી કાઢ્યો છે. રેન્જ આઈજી વીરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, દોઢ મહિના અગાઉ મંદિરમાં ચોરી કરનાર શખ્સો હિંમતનગરથી પ્રાંતિજ તરફ જઈ રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે સલાલ કરણી ઢાબા પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ મોટરસાયકલ સવાર બે કિશોરોને અટકાવ્યા હતા. પૂછપરછ દરમિયાન બંને કિશોરોએ દલપુરના મંદિરમાંથી દાનપેટી તોડી ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

પોલીસે આ કાર્યવાહી દરમિયાન બે મોબાઈલ ફોન, રોકડ રકમ અને ચોરીમાં વપરાયેલ મોટરસાયકલ મળી કુલ ૩૫,૨૨૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. કાયદાના સંઘર્ષમાં આવેલા આ બંને કિશોરોને વધુ તપાસ અર્થે પ્રાંતિજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ કામગીરીમાં એલસીબીના પીઆઈ ડી.સી. સાકરીયા અને તેમની ટીમ દ્વારા મહત્વની ભૂમિકા ભજવવામાં આવી હતી.
📲Get App