🔥 ट्रेंडिंग ગળતેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય ધજારોહણ કા... एपी के जन्मे टेक प्रोफेशनल को मिला NRI... एयर इंडिया एक्सप्रेस ने भोगापुरम एयरपो... जाफराबाद में खरीदी गई विशाल भैंस: कीमत... गुजरात पुलिस अधिकारी ने जतरण मंतर विरो... गुजरात कोटेक्स ने नई डिवीज़न पेश की: ख...
17 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

KBC18માં ભાવનગરના ડૉ. ગણેશ બારૈયાને જોઈને અમિતાભ બચ્ચન ઈમોશનલ થયા

✍️ रिपोर्टर: Makvana Jaydip 🗓 16 अग. 2026, 07:04 PM 👁 17
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કૌન બનેગા કરોડપતિના મંચ પર પહોંચેલા ગુજરાતના 3 ફીટ લાંબા ડો. ગણેશ બારૈયાના સંધર્ષની ગાથા સાંભળી બિગ બી ભાવુક થયા હતા. જાણો કેવી રીતે તેમણે કાનુની અડચણોને દુર કરી ઈતિહાસ રચ્યો.

કહેવાય છે કે,વ્યક્તિની પોતાની ઉંચાઈ પોતાના કદ થી નહી પરંતુ પોતાના ઈરાદાથી નક્કી કરે છે. આ વાતની જીવતી મિસાઈલ બની સામે આવ્યો ભાવનગરનો રહેવાસી ડો.ગણેશ બારૈયા. સોની ટેલિવિઝનની સૌથી લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપિતમાં જ્યારે ડો.ગણેશ બારૈયા સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની સામે હોટસીટ પર બેઠો. તો આખો દેશ તેની હિંમત અને તેના જોશને સલામ કરવા લાગ્યો હતો.
માત્ર 3 ફીટનો ડો. ગણેશ જ્યારે પોતાના ગળામાં સ્ટેથોસ્કોપ નાંખી હોસ્પિટલમાં પહોંચે છે. ત્યારે લાખો લોકોની આશાનું કિરણ બને છે. જે પરિસ્થિતિઓને આગળ ઘૂંટણ ભરાવે છે.કેબીસીના મંચ પર પોતાની સંધર્ષ કથા સાંભળી તેમણે કહ્યું કે, બાળપણથી લઈ આજ સુધી કઈ રીતે અસંવ શબ્દને પાછળ છોડી રહ્યો છે. પરંતુ તેમણે પોતાની તાકત પર આ શબ્દની આખી પરિભાષા બદલી નાંખી છે.
ભાવનગર જિલ્લાના ગૌરખી ગામમાં એક ગરીબ પરિવારમાં જન્મેલા ડો.ગણેશ બારૈયા બાળપણથી જ શારીરિક દિવ્યાંગતાનો સામનો કરવો પડ્યો. 9 ભાઈ-બહેનમાં તે માત્ર એક એવો હતો. જેનું કદ વધ્યું નહી. જ્યારે તે 10 વર્ષનો થયો. તો એક સર્કસની કંપનીએ તેના પિતાને 5 લાખ રુપિયામાં ગણેશને વેચવાની ઓફર કરી હતી. પરંતુ તેના પિતાએ આ ઓફર નકારી હતી. ગણેશને અભ્યાસ કરાવ્યો. ગામની પ્રાઈમરી સ્કુલમાં જવા માટે ગણેશ પગપાળા જઈ શકતો ન હતો. તેના માટે તેના પિતા અને માતાએ તેને ખંભા પર બેસાડી 5 કિલોમીટર દુર સ્કુલ છોડવા માટે જતા હતા.

ગણેશ બાળપણથી હોશિયાર હતો. નીટની પરીક્ષા પાસ કર્યા પછી જ્યારે એમબીબીએસમાં એડમિશન લેવા માંગતો હતો તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ તેની 3 ફીટની હાઈટના કારણે તેને અનફિટ જાહેર કર્યો હતો. તેમણે કહ્યું કે, તે ઈમરજન્સી કેસ સંભાળી શકશે નહી. પરંતુ ગણેશે હાર માની નહી. પહેલા ગુજરાત હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. વર્ષ 2018માં દેશની સૌથી મોટી કોર્ટે તેના પક્ષમાં ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો અને 2019માં તેને એમબીબીએસમાં એન્ટ્રી મળી હતી. પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી આજે તે ભાવનગરની સરકારી સર તખ્તસિંહજી હોસ્પિટલમાં પીડિયાટ્રિક એનઆઈસીયુ મેડિકલ ઓફિસરમાં પોતાની નોકરી કરી રહ્યો છે.

જ્યારે અમિતાભ બચ્ચન પણ કૌન બનેગા કરોડપતિમાં ગણેશના માતા-પિતાના ત્યાગ અને તેની અટુટ ઈચ્છા શક્તિઓની વાત સાંભળી ભાવુક થયા હતા. ગણેશ કૌન બનેગા કરોડપતિમાં 25,000 રુપિયા સાથે ઘરે પરત ફર્યો છે.
📲Get App