🔥 TRENDING પ્રાંતિજમાં 'એકલવ્ય ગરબા ક્લાસિસ'નો શુ... મેઘરજના રેલ્લાવાડામાં સગર્ભા માતાઓ માટ... Onam Week Festivities Kick Off Across... BJP chief Nitin Nabin convenes meeting... India Wins Inaugural FIFAe Continental... 121 New Liquor Brands Expected to Ente...
24 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

કેશોદના મેસવાણ ગામમાં 95 વર્ષીય વૃદ્ધાનું ચક્ષુદાન: પરિવારે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

✍️ Reporter: Sudip Gadhiya 🗓 23 Aug 2026, 09:42 PM 👁 16
Watch on: 📷 Instagram
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં રહેતા 95 વર્ષીય રંભાબેન અઘેરાના અવસાન બાદ તેમના પરિવારે ચક્ષુદાન કરવાનો ઉમદા નિર્ણય લીધો છે.

કેશોદ તાલુકાના મેસવાણ ગામના નિવાસી સ્વર્ગસ્થ રંભાબેન રવજીભાઈ અઘેરા (ઉંમર 95 વર્ષ) નું તાજેતરમાં અવસાન થયું હતું. તેમના નિધન બાદ પરિવારજનોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા તેમના ચક્ષુદાન કરવાનો નિર્ણય લીધો હતો. આ પ્રક્રિયામાં ડૉ. કછોટ (આંખના સર્જન) ના માર્ગદર્શન હેઠળ ડૉ. અરુણ તન્નાએ શિવમ ચક્ષુદાન - આરેણા પરિવારનો સંપર્ક સાધ્યો હતો.

શિવમ ચક્ષુદાન પરિવારના હરદીપસિંહ જેઠવા દ્વારા સ્વર્ગસ્થ રંભાબેનના બંને ચક્ષુઓનું સફળતાપૂર્વક કલેક્શન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન મોહિતભાઈ સોલંકીએ જરૂરી વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો, જ્યારે વાહનની વ્યવસ્થા રાજેશભાઈ નંદાણીયા દ્વારા કરવામાં આવી હતી. એકત્રિત કરવામાં આવેલા ચક્ષુઓને ડૉ. કરશનભાઈ વાજા દ્વારા વેરાવળ સ્થિત મુનિ સંત બાલાજી આઈ બેંકમાં પહોંચાડવામાં આવ્યા હતા.

સ્વર્ગસ્થ રંભાબેનના પરિવારના આ માનવકલ્યાણકારી નિર્ણયને સૌ કોઈ બિરદાવી રહ્યા છે. શિવમ ચક્ષુદાન આરેણા પરિવારે સ્વર્ગસ્થના દિવ્યાત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી છે અને શોકગ્રસ્ત પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી કામના કરી છે.
📲Get App