Health
અંબાજીમાં ભાદરવી પૂનમ મેળા પહેલા ખાદ્ય સામગ્રીનું ઓન-ધ-સ્પોટ ટેસ્ટિંગ, 83 વસ્તુઓની તપાસ
ખાદ્ય અને ઔષધ નિયમન તંત્રએ અંબાજીમાં 72 ખાદ્ય પેઢીઓની તપાસ સાથે 83 ખાદ્ય સામગ્રીનું તાત્કાલિક પરીક્ષણ કરીને અખાદ્ય વસ્તુઓનું નાશ અને કડક સૂચનાઓ આપી.
ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર, ભાદરવી પૂનમ મેળા-2026 પહેલાં અંબાજીમાં સઘન તપાસ ઝુંબેશ શરૂ કરી, યાત્રાળુઓને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી મળવાની ખાતરી કરવા.
તપાસમાં કુલ 72 ખાદ્ય પેઢીઓની તપાસ કરવામાં આવી અને સ્થળ પર જ 83 ખાદ્ય સામગ્રીનું ઓન-ધ-સ્પોટ ટેસ્ટિંગ કરવામાં આવ્યું. પરીક્ષણ દરમિયાન અખાદ્ય જણાયેલી સામગ્રી સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી.
સ્થળ પર જ 7 લીટર બળેલું તેલ, 3 કિલોગ્રામ પેપર પસ્તી અને સિન્થેટિક કલરની 2 ડબ્બીઓનું નાશ કરાવાયું. તમામ ખાદ્ય વેપારીઓ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડરોને ખાદ્ય ગુણવત્તા, સ્વચ્છતા અને સલામતીના નિયમોનું કડક પાલન કરવા કડક સૂચનાઓ આપવામાં આવી.
ભાદરવી પૂનમ મેળા દરમિયાન યાત્રાળુઓના આરોગ્ય અને સલામતી માટે આવી તપાસ અને કાર્યવાહી સતત ચાલુ રહેશે. તંત્ર ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને ખાદ્ય સલામતીના ધોરણોનું પાલન થાય તેની ખાતરી કરશે.
તપાસમાં કુલ 72 ખાદ્ય પેઢીઓની તપાસ કરવામાં આવી અને સ્થળ પર જ 83 ખાદ્ય સામગ્રીનું ઓન-ધ-સ્પોટ ટેસ્ટિંગ કરવામાં આવ્યું. પરીક્ષણ દરમિયાન અખાદ્ય જણાયેલી સામગ્રી સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી.
સ્થળ પર જ 7 લીટર બળેલું તેલ, 3 કિલોગ્રામ પેપર પસ્તી અને સિન્થેટિક કલરની 2 ડબ્બીઓનું નાશ કરાવાયું. તમામ ખાદ્ય વેપારીઓ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડરોને ખાદ્ય ગુણવત્તા, સ્વચ્છતા અને સલામતીના નિયમોનું કડક પાલન કરવા કડક સૂચનાઓ આપવામાં આવી.
ભાદરવી પૂનમ મેળા દરમિયાન યાત્રાળુઓના આરોગ્ય અને સલામતી માટે આવી તપાસ અને કાર્યવાહી સતત ચાલુ રહેશે. તંત્ર ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને ખાદ્ય સલામતીના ધોરણોનું પાલન થાય તેની ખાતરી કરશે.