🔥 TRENDING Road Accident in Jammu & Kashmir Injur... LG Sinha lauds PM Modi’s effort to res... Veteran Actor Anant Nag Honoured with... Veteran Actor Anant Nag Dedicates Dada... Anu Aggarwal reveals spine fracture du... Sharman Joshi Begins Filming First Ben...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

પ્રધાનમંત્રી મોદીના 76મા જન્મદિને નર્મદા કિનારે ભવ્ય દીપોત્સવ, 450 મીટરની ચૂંદડી અર્પણ

✍️ Reporter: Shahid Mansuri 🗓 18 Sep 2026, 03:20 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વાગરા ધારાસભ્ય અરુણસિંહ રણાની આગેવાનીમાં 76 ગામોના લોકોની ઉપસ્થિતિમાં નર્મદા કિનારે પ્રધાનમંત્રી મોદીના 76મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં મહાઆરતી, દીપોત્સવ, રક્તદાન અને સ્વચ્છતા અભિયાન સહિત અનેક કાર્યક્રમો યોજાયા.

વાગરા ધારાસભ્ય અરુણસિંહ રણાની આગેવાનીમાં ભાડભૂતમાં નર્મદા કિનારે પ્રધાનમંત્રી મોદીના 76મા જન્મદિવસની વિશેષ ઉજવણી યોજાઈ. 76 ગામોના પ્રતિનિધિઓ અને સ્થાનિક નાગરિકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ શરૂ થયો.

મહાઆરતી અને 76 નાવડીઓ પર દીવડાઓની ઝલકથી નર્મદા કિનારો ઝળહળી ઉઠ્યો. પ્રધાનમંત્રી મોદીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે મહામૃત્યુંજય જપ અને ભક્તિ કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા.

મહા રક્તદાન શિબિરમાં 76 યુનિટ રક્તદાનનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું, સાથે 77 વૃક્ષોનું વાવેતર અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. મહિલાઓ અને બાલિકાઓની મોટી ભાગીદારી સાથે ભવ્ય કળશ યાત્રા યોજાઈ, ત્યારબાદ નર્મદા મૈયાને 450 મીટરની ચૂંદડી અર્પણ કરવામાં આવી.

નર્મદા મૈયાની મહાઆરતી અને શ્રી ભારેશ્વર મહાદેવની આરતી બાદ ભવ્ય આતશબાજી સાથે જન્મોત્સવની ઉજવણી પૂર્ણ થઈ.
📲Get App