🔥 ट्रेंडिंग दिल्ली में खुद को गोली मारने से एक व्य... वुशू खिलाड़ी गौरी ने पिता के मार्गदर्श... ओवैसी के विवाह बयानों पर भोपाल के संत... कोटपूतली में कांग्रेस ने रमेश पायला को... बूंदी नगर परिषद अध्यक्ष चुनाव: भाजपा न... प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मदिन प...
16 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સાબરકાંઠા ખેડૂતોએ 50 વર્ષથી વળતર માટે રાહ જોયા, કેસો કચેરીમાં અટવાયા..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 16 सित. 2026, 04:58 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માલપુર તાલુકાના 35 ગામોના ખેડૂતોએ વળતર માટે 50 વર્ષથી રાહ જોયા બાદ, તેમના કેસો કચેરીમાં અટવાયેલા હોવાનો આક્ષેપ કર્યો..

સાબરકાંઠામાં-:
વાત્રક યોજના પૂર્ણ થયા પછી 50 વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, માલપુર તાલુકાના ખેડૂતોને ડૂબમાં ગયેલી જમીન માટે વળતર મળ્યું નથી.અસરગ્રસ્ત આશરે 35 ગામોના વળતરના કેસો વર્ષોથી કચેરીમાં અટવાયેલા હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. કેટલાક કેસો છેલ્લા 40 વર્ષથી કચેરીમાં જ પડ્યા છે, અને બાકી રહેલા કેસો બાયડ કોર્ટમાં મોકલવામાં આવતા નથી, એમ ખેડૂતો કહે છે..

અગાઉ અનેક વખત રજૂઆતો કરવા છતાં આજદિન સુધી યોગ્ય કાર્યવાહી ન થતાં, અસરગ્રસ્ત ખેડૂતોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. 4થી વધુ ગામના સ્થાનિકો પોતાની રજૂઆત લઈને કચેરીએ પહોંચ્યા હતા.વર્ષોથી વળતરની રાહ જોઈ રહેલા ખેડૂતો દ્વારા હવે બાકી રહેલા કેસોમાં ઝડપી કાર્યવાહી કરી વળતર અપાવવાની માંગ કરવામાં આવી છે, અને તેઓ આશા રાખે છે કે કોર્ટમાં કેસો મોકલવામાં આવે તો વળતર મળવાની શક્યતા વધશે.
📲Get App