🔥 TRENDING मुख्यमंत्री डॉ. प्रमोद सावंत ने कोठंबी... आकाशीय बिजली गिरने से 1 की मौत २०२६-२७ : नाशिक जिल्हा परिषदेचा नियतव्... ઈન્દ્રાડથી ટોરેન્ટ કંપની સુધીના માર્ગમ... Madhya Pradesh Spends Crores to Print... National Lok Adalat Clears 400,000 Cas...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલી રણછોડ નગર-3માં કમલેશ્વર મહાદેવ મંદિરનો 9મો પાટોત્સવ ઉજવાયો, મહાઆરતી અને મહાપ્રસાદ બાદ ભવ્ય શોભાયાત્રા નીકળી

અમરેલી રણછોડ નગર-3માં કમલેશ્વર મહાદેવ મંદિરનો 9મો પાટોત્સવ ઉજવાયો, મહાઆરતી અને મહાપ્રસાદ બાદ ભવ્ય શોભાયાત્રા નીકળી

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 19 Aug 2026, 04:26 PM 👁 50
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી રણછોડ નગર-3માં કમલેશ્વર મહાદેવ મંદિરનો 9મો પાટોત્સવ ઉજવાયો, મહાઆરતી અને મહાપ્રસાદ બાદ ભવ્ય શોભાયાત્રા નીકળી

*અમરેલી*: શહેરના રણછોડ નગર શેરી નંબર-3માં આવેલ કમલેશ્વર મહાદેવ મંદિર ખાતે કમલેશ્વર મહાદેવ કમિટી, મહિલા ધૂન મંડળ અને મંદિરના પૂજારીના સંયુક્ત ઉપક્રમે મહાદેવના 9મા પાટોત્સવનું સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

સવારથી જ મંદિર પરિસર ભક્તિમય બન્યું હતું. વૈદિક મંત્રોચાર સાથે પૂજા, રુદ્રાભિષેક, હવન યજ્ઞ અને ભજન-કીર્તનના કાર્યક્રમો યોજાયા. મંદિરને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું.

સવારના હવન યજ્ઞ બાદ બપોરે 12 કલાકે દેવાધિદેવ મહાદેવની શંખનાદ અને ઢોલ-નગારાના ગગનભેદી નાદ સાથે ભવ્ય દિવ્ય દીપમાળાથી મહાઆરતી કરવામાં આવી.

ત્યારબાદ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું જેમાં હજારો ભક્તોએ પ્રસાદનો લાભ લીધો.

બપોરે 4 કલાકે મંદિરમાંથી ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા રણછોડ નગર તેમજ આસપાસના વિસ્તારોમાં ફરી હતી. રસ્તામાં ભાવિક ભક્તજનોએ ફૂલોની વર્ષા કરીને ભવ્ય સ્વાગત કર્યું. ઢોલ-નગારા અને ભજન સાથેનો માહોલ ભક્તિમય બની ગયો હતો.

આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, મહિલાઓ અને બાળકો જોડાયા હતા. કમલેશ્વર કમિટીના સભ્યોએ તમામ ભક્તોનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું કે, "છેલ્લા 9 વર્ષથી દર વર્ષે પાટોત્સવ ઉજવાય છે. ભક્તોની શ્રદ્ધા અને સહકારથી આ વર્ષનો કાર્યક્રમ વધુ દિવ્ય અને ભવ્ય બન્યો છે."

બ્યુરો રિપોર્ટ ; ગૌરાંગ સોઢા અમરેલી
📲Get App