Local
ગુજરાતમાં શહેરી વિકાસ માટે ₹3850 કરોડની રકમની મંજૂરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં શહેરી વિકાસ માટે ₹3850 કરોડના ચેકનું અર્પણ કર્યું છે, જેમાં મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને ફંડ આપવામાં આવ્યું છે.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાગરિકોના 'ઇઝ ઓફ લિવિંગ'માં વધારો કરવાની નેમ સાથે રાજ્યની મહાનગરપાલિકાઓ માટે ₹2992 કરોડ અને નગરપાલિકાઓ માટે ₹858 કરોડની કુલ ₹3850 કરોડની રકમના ચેકનું અર્પણ કર્યું છે. આ સમારોહ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી.
આ અવસરે, મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના શહેરી વિકાસનાં 20 વર્ષની સંકલ્પોથી સિદ્ધિઓની સફર દર્શાવતી '20 વર્ષ શહેરી વિકાસનાં' તેમજ વડનગરની ગૌરવગાથા દર્શાવતી 'Vadnagar - The Making of Modern Legacy' કોફી ટેબલ બુક્સનું અનાવરણ કર્યું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2005માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શહેરી વિકાસ વર્ષની શરૂઆત કરી હતી, જેના દ્વારા રાજ્યના શહેરી તંત્ર માટે મજબૂત નાણાકીય અને પ્રશાસનિક પાયો ઉભો થયો. તેમણે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવી કે, નાગરિકો માટે 'ઇઝ ઓફ લિવિંગ' સુનિશ્ચિત કરવા માટે આયોજનબદ્ધ શહેરી વિકાસ અને વર્લ્ડ-ક્લાસ જનસુવિધાઓના નિર્માણમાં પ્રયત્નશીલ રહેવું જરૂરી છે.
શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પર્યાવરણપ્રિય અને ગુણવત્તાસભર વિકાસને પ્રોત્સાહન આપવાની સાથે, પ્રશાસનિક સેવાઓને ટેક્નોલોજી આધારિત, નાગરિક-કેન્દ્રિત, ટ્રાન્સપરન્ટ અને એકાઉન્ટેબલ બનાવવાના પ્રયાસો કરવા અનુરોધ કર્યો.
આ અવસરે, મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના શહેરી વિકાસનાં 20 વર્ષની સંકલ્પોથી સિદ્ધિઓની સફર દર્શાવતી '20 વર્ષ શહેરી વિકાસનાં' તેમજ વડનગરની ગૌરવગાથા દર્શાવતી 'Vadnagar - The Making of Modern Legacy' કોફી ટેબલ બુક્સનું અનાવરણ કર્યું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2005માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શહેરી વિકાસ વર્ષની શરૂઆત કરી હતી, જેના દ્વારા રાજ્યના શહેરી તંત્ર માટે મજબૂત નાણાકીય અને પ્રશાસનિક પાયો ઉભો થયો. તેમણે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવી કે, નાગરિકો માટે 'ઇઝ ઓફ લિવિંગ' સુનિશ્ચિત કરવા માટે આયોજનબદ્ધ શહેરી વિકાસ અને વર્લ્ડ-ક્લાસ જનસુવિધાઓના નિર્માણમાં પ્રયત્નશીલ રહેવું જરૂરી છે.
શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પર્યાવરણપ્રિય અને ગુણવત્તાસભર વિકાસને પ્રોત્સાહન આપવાની સાથે, પ્રશાસનિક સેવાઓને ટેક્નોલોજી આધારિત, નાગરિક-કેન્દ્રિત, ટ્રાન્સપરન્ટ અને એકાઉન્ટેબલ બનાવવાના પ્રયાસો કરવા અનુરોધ કર્યો.