स्थानीय
પૂર્વ ધારાસભ્ય સ્વ. વજુભાઈ ડોડીયાની સ્મૃતિમાં વિરમગામમાં એ-વન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ
વિરમગામ ખાતે પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ વજુભાઈ ડોડીયાની સ્મૃતિમાં એ-વન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવી એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો. આ સેવા દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં મદદ મળશે અને વિસ્તારના લોકોને તાત્કાલિક આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે. ટ્રસ્ટના આગેવાનો અને ઉપસ્થિત મહાનુભાવોએ આ પહેલને જનહિતનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું.