🔥 TRENDING નર્મદા નદીમાં 600 ક્ષમતાવાળી ભવ્ય ક્રૂ... વિરમગામ સહિત વરસાદગ્રસ્ત વિસ્તારો માટે... Karnataka‑Tamil Nadu Water Dispute Esc... Tamil Nadu Tense as Udhayanidhi Stalin... Congress Wins Datia Bypoll, CM Mohan Y... Priyanka Gandhi Says BJP Fatigue Signa...
04 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજ્યમાં ભારે વરસાદ બાદ આરોગ્ય વિભાગની સક્રિય કામગીરી: રોગચાળાને અટકાવવા પગલાં
Health

રાજ્યમાં ભારે વરસાદ બાદ આરોગ્ય વિભાગની સક્રિય કામગીરી: રોગચાળાને અટકાવવા પગલાં

✍️ Reporter: Kansagara dipkumar chetanbhai 🗓 04 Aug 2026, 03:04 PM 👁 17

રાજ્યમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી આફત વચ્ચે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સમયસૂચકતા દાખવીને પૂર્વ આયોજન સાથે સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી છે.

રાજ્યમાં તાજેતરમાં જ થયેલા અતિવૃષ્ટિ અને ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આ કુદરતી આફત વચ્ચે લોકોને આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે તાત્કાલિક ધોરણે સક્રિય પગલાં ભર્યા છે.

આરોગ્ય વિભાગ દ્વારા વરસાદી પાણીના ભરાવાને કારણે ફેલાઈ શકે તેવા રોગો, જેમ કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને પાણીજન્ય રોગો જેવા કે ઝાડા-ઉલટી, કમળો વગેરેને અટકાવવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આરોગ્ય કર્મચારીઓની ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને સર્વેલન્સ અને જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત, આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયા અધિકારીઓ અને આરોગ્ય કાર્યકરોને દવાઓ, ફોગીંગ મશીનો અને મેલેરિયા વિરોધી દવાઓનો પૂરતો જથ્થો પૂરો પાડવામાં આવ્યો છે. લોકોને સ્વચ્છતા જાળવવા, પાણીનો સંગ્રહ ન કરવા અને મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે જરૂરી સૂચનો આપવામાં આવી રહ્યા છે. આરોગ્ય સેવાઓ સુલભ રહે તે માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
📲Get App