લુણાવાડા નગરના આંતરિક માર્ગો બિસ્માર હાલત માં
લુણાવાડા નગરના વિસ્તારોને હાઈ વે સાથે જોડતા મહત્વના માર્ગો પૈકીનો એક માર્ગ ચારકોશિયા નાકા થી મધવાસ દરવાજા અને વાસિયા તળાવ તરફ જતો રસ્તો છેલ્લા ઘણા સમય થી તૂટેલી હાલતમાં છે આ બાબતે સ્થાનિકો અને રાહદારીઓ દ્વારા ઘણા સમયથી નવીન માર્ગ બનાવવા રજૂઆત કરવામાં આવેલ હતી પરંતુ નગરપાલિકા દ્વારા પેચવર્ક કરવાને બદલે કપચી અને માટી થી ખાડા પૂરવામાં આવ્યા હતા જે એક j વરસાદ માં ધોવાઈ જતા માર્ગ ફરી બિસ્માર બની ગયેલ છે આ માર્ગ સતત ટ્રાફિક અને રાહદારીઓની અવર જવર થી સતત વ્યસ્ત રહે છે અને આખા માર્ગ પર ખાડા પડી જવાથી તેમજ ભૂગર્ભ ગટરના ઢાંકણા પણ લેવલમાં ન હોવાથી ખૂબ જ મુશ્કેલી પડી રહી છે રસ્તા પરના ખાડાઓમાં પાણી ભરવા થી મચ્છર જન્ય રોગો ફેલાવા નું જોખમ ઉભુ થયું છે નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે પેચવર્ક કરી રસ્તાનું રિપેરિંગ થાય તેવી લોકોની લાગણી અને માંગણી છે