National
વિરમગામના પોપટ ચોકડી વિસ્તારમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા
વરસાદ બંધ થયાને એક સપ્તાહથી વધુ સમય થયો હોવા છતાં પોપટ ચોકડી વિસ્તારમાં હજુ પણ પાણીનો નિકાલ થયો નથી.
વિરમગામ શહેરના પોપટ ચોકડી(પંચમુખી હનુમાન ચોકડી ) વિસ્તારમાં વરસાદ બંધ થયાને સાત દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે. રસ્તાઓ અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાથી સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે હજુ સુધી પાણીના નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. રહેવાસીઓએ સંબંધિત તંત્રને વહેલી તકે પાણીનો નિકાલ કરવા અને સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી છે.