🔥 TRENDING ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મ... Karnataka Officer Attacked Over Exclus... Maharashtra FDA Head Faces Staff Short... Patanjali Ayurved Acquires 73.56% Stak... Gadkari Announces Phased Rollout of Et... Kerala Vigilance Bureau Drops 2018 Cas...
30 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
તીથલ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારનો ખુલાસો, નાગરિકોએ રજૂ કરી ફરિયાદ
Local

તીથલ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારનો ખુલાસો, નાગરિકોએ રજૂ કરી ફરિયાદ

✍️ Reporter: કિરીટકુમાર છગનલાલ પટેલ 🗓 30 Jul 2026, 12:46 PM 👁 21

તીથલ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી-કમ-મંત્રી વિરુદ્ધ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેમાં લાખો રૂપિયાના ગેરકાયદેસર કામોનો સમાવેશ થાય છે.

તીથલ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રાકેશ પટેલ અને તલાટી-કમ-મંત્રી શ્રી હિરેનકુમાર ચૌટલિયા વિરુદ્ધ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સ્થાનિક નાગરિકોએ RTI અંતર્ગત પ્રાપ્ત થયેલા સત્તાવાર રેકોર્ડની તપાસ બાદ આ ભ્રષ્ટાચારના કિસ્સાઓનો ખુલાસો કર્યો છે, જેમાં કામ કર્યા વિના કમ્પ્લીશન સર્ટિફિકેટ મેળવવાનો, ગામની હદ બહારના વિસ્તારોમાં નાણાંની ઉચાપત કરવાનો અને ગેરકાયદેસર માટી ખનનનો સમાવેશ થાય છે. સરપંચ રાકેશ પટેલ ગામમાં ખુલ્લેઆમ એવી વાતો કરે છે કે "આ લોકોએ મારી વિરુદ્ધ ફરિયાદ કરીને મારું શું ઉખાડી લીધું? વલસાડનું પ્રશાસન મારી સાથે છે

આ નાગરિકોએ વલસાડના સ્થાનિક વહીવટીતંત્રને લેખિત ફરિયાદો આપી છે, જેમાં માનનીય DDO અને કલેક્ટર સહિતના અધિકારીઓને સંલગ્ન કરવામાં આવ્યા છે. ૫૦ દિવસો પસાર થયા છતાં, સ્થાનિક પ્રશાસન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી,

જાગૃત નાગરિકોનું માનવું છે કે જો સ્થાનિક વહીવટીતંત્ર ભ્રષ્ટાચારીઓને છાવરશે, તો સરકારની 'ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત'ની જાહેરાતોનો કોઈ અર્થ નહીં રહે. તેઓએ સરકારને વિનંતી કરી છે કે આ મામલે એક સ્વતંત્ર તપાસ સમિતિ નિમણૂક કરી, ભ્રષ્ટાચારમાં સામેલ તમામ દોષિતો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને સરકારી નાણાંની વસૂલાત કરવામાં આવે.

આ મામલે નાગરિકોની આશા છે કે તેઓને ન્યાય મળશે અને ભ્રષ્ટાચાર સામે લડવા માટેની તેમની હિંમતને માન્યતા મળશે.
📲Get App