🔥 TRENDING સુદૃઢ આરોગ્ય વ્યવસ્થા માટે સતત કાર્યરત... ધોળકામાં ભારે વરસાદ બાદ થયેલ નુકસાન અર... મહીસાગર જિલ્લા કલેકટર સુશ્રી અર્પિત સા... Top Court Seeks Probe On Police Action Archana Puran Singh Recalls Childhood... Bhagyashree's Udaipur Getaway
28 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
થાનગઢના પીપળા ચોકમાં બે આખલા બાખડ્યા: લોકોમાં નાસભાગ , જાનહાનિ ટળી

થાનગઢના પીપળા ચોકમાં બે આખલા બાખડ્યા: લોકોમાં નાસભાગ , જાનહાનિ ટળી

✍️ Reporter: Divyarajbhai khachar 🗓 28 Jul 2026, 01:28 PM 👁 17
થાનગઢના પીપળા ચોકમાં બે આખલા બાખડ્યા: લોકોમાં નાસભાગ , જાનહાનિ ટળી
થાનગઢ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.27 જુલાઈ ના સાંજ સમયે થાનગઢના પીપળા ચોક વિસ્તારમાં બે આખલાઓ જાહેરમાં બાખડ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી અને ભયનો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, પીપળા ચોક જેવા ધમધમતા અને વ્યસ્ત વિસ્તારમાં બે આખલાઓ અચાનક લડી પડ્યા હતા. બંને પશુઓ રોડની વચ્ચે જ ઉગ્ર લડાઈ શરૂ કરી દેતા વાહનચાલકો અને રાહદારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી.
આખલાઓના આ આક્રમક સ્વરૂપને જોઈને નજીકના વેપારીઓએ તાત્કાલિક પોતાની દુકાનોના શટર નીચે પાડી દીધા હતા. લોકોએ પણ સુરક્ષિત સ્થળે ખસી જવું પડ્યું હતું, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ટાળી શકાય. સદનસીબે, આ લડાઈ દરમિયાન કોઈ મોટી જાનહાનિ કે ઈજાના સમાચાર નથી.
📲Get App