🔥 TRENDING Stalin Predicts Vijay Govt Collapse in... Tamil Nadu Mandates AC Buses for Futur... Vijay Secures Governor's Approval to F... Madhya Pradesh Targets International T... Husband's Concealed Religion Doesn't V... Actor Satendra Soni Receives Death Thr...
30 Jun 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાતમાં 'અંધશ્રદ્ધા' સામે લડતા જયંત પંડ્યાએ વિજ્ઞાન જાથા બંધ કરવાનો નિર્ણય કેમ લીધો?
National

ગુજરાતમાં 'અંધશ્રદ્ધા' સામે લડતા જયંત પંડ્યાએ વિજ્ઞાન જાથા બંધ કરવાનો નિર્ણય કેમ લીધો?

✍️ Reporter: Kansagara dipkumar chetanbhai 🗓 30 Jun 2026, 05:40 PM 👁 2
ભારત જન વિજ્ઞાન જાથાના ગુજરાત એકમના ચૅરમૅન જયંત પંડ્યાએ 20 જૂને અમુક સમાચાર ચૅનલોને આપેલા ઇન્ટરવ્યૂમાં જાહેરાત કરી કે તેઓ હવે વિજ્ઞાન જાથામાંથી નિવૃત્તિ લઈ રહ્યા છે અને એ બાદ આ સંસ્થા બંધ થઈ જશે.

બીબીસી સાથે વાત કરતા જયંત પંડ્યાએ કહ્યું કે ઉંમરમાં તેઓ સિત્તેર વર્ષની નજીક પહોંચી રહ્યા છે અને તેમની ઉંમર અને માહોલ જોતા તેમણે હવે 'અંધશ્રદ્ધા સામેની તેમની પ્રવૃતિઓ' બંધ કરવાનો નિર્ણય લીધો છે.

જોકે તેઓ ઉમેરે છે કે ફિલ્ડ પર જઈને કથિત પાખંડીઓનો પર્દાફાશ કરવાના કામમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ લોકજાગૃતિનાં કામ કરતા રહેશે.

તેમની આ જાહેરાતના મિશ્ર પ્રત્યાઘાત પડ્યા છે. તેમની જેવી ચળવળ ચલાવનાર રેશનાલિસ્ટ્સ કહે છે કે આવી સંસ્થા બંધ થાય તો ગુજરાત માટે તે શરમજનક ઘટના ગણાય, પરંતુ જયંત પંડ્યાની પ્રવૃત્તિના વિરોધીઓ કહે છે કે તેમણે 'ધાર્મિક કાર્યક્રમોનો વિરોધ' કરવા કરતાં વિજ્ઞાનનો પ્રચાર કરવાનું કામ કર્યું હોત તો વધારે સારું હતું.