🔥 TRENDING MP High Court Questions Advocate's Dua... MP CM Discusses Crop Procurement Bihar Govt Honors 19 International Pla... Indore Hosts Kargil Vijay Diwas Event Karnataka Announces Plan to Set Up Ded... ACME Solar Boosts BESS Capacity by 2.2...
24 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નેત્રંગમાં પાણીજન્ય રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગે ત્વરિત કાર્યવાહી શરૂ
Local

નેત્રંગમાં પાણીજન્ય રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગે ત્વરિત કાર્યવાહી શરૂ

✍️ Reporter: Kansagara dipkumar chetanbhai 🗓 24 Jul 2026, 04:16 PM 👁 23

ભરૂચ જિલ્લાના નેત્રંગમાં ભારે વરસાદ બાદ આરોગ્ય વિભાગે પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો રોકવા માટે ઘરોની મુલાકાત અને સ્ક્રીનિંગ શરૂ કર્યું.

નેત્રંગમાં ભારે વરસાદ બાદ આરોગ્ય વિભાગે પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો અટકાવવા ત્વરિત કાર્યવાહી શરૂ કરી છે.

આરોગ્ય ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેણાંક ઘરોની રૂબરૂ મુલાકાત લઈને તાવ, શરદી અને ઉધરસ જેવા લક્ષણો ધરાવતા દર્દીઓનું સ્થળ પર જ સ્ક્રીનિંગ અને તપાસ કરી રહી છે.

જરૂરિયાતમંદોને ORS અને ક્લોરીનની ગોળીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, સાથે જ પીવાના પાણીના કૂવાઓનું ક્લોરીનેશન પણ કરવામાં આવી રહ્યું છે.

શાળાના બાળકો અને નાગરિકોને સ્વચ્છતા તથા આરોગ્ય જાગૃતિ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે, જેથી પાણીજન્ય રોગચાળો ફેલાય નહીં.
📲Get App