🔥 TRENDING Police Book 100 Over Kochi Protest Sup... Kerala Probe Launched After Shrimp Far... Two BSF Troops Killed in Malda Border... BSF Soldier Opens Fire at Malda HQ, Tw... Kim Soo‑Hyun Confirms Official Comebac... Chennai Love Story X: Netizens Praise...
24 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નેત્રંગમાં પાણીજન્ય રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગે ત્વરિત કાર્યવાહી શરૂ
Local

નેત્રંગમાં પાણીજન્ય રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગે ત્વરિત કાર્યવાહી શરૂ

✍️ Reporter: Kansagara dipkumar chetanbhai 🗓 24 Jul 2026, 04:16 PM 👁 21

ભરૂચ જિલ્લાના નેત્રંગમાં ભારે વરસાદ બાદ આરોગ્ય વિભાગે પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો રોકવા માટે ઘરોની મુલાકાત અને સ્ક્રીનિંગ શરૂ કર્યું.

નેત્રંગમાં ભારે વરસાદ બાદ આરોગ્ય વિભાગે પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો અટકાવવા ત્વરિત કાર્યવાહી શરૂ કરી છે.

આરોગ્ય ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેણાંક ઘરોની રૂબરૂ મુલાકાત લઈને તાવ, શરદી અને ઉધરસ જેવા લક્ષણો ધરાવતા દર્દીઓનું સ્થળ પર જ સ્ક્રીનિંગ અને તપાસ કરી રહી છે.

જરૂરિયાતમંદોને ORS અને ક્લોરીનની ગોળીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, સાથે જ પીવાના પાણીના કૂવાઓનું ક્લોરીનેશન પણ કરવામાં આવી રહ્યું છે.

શાળાના બાળકો અને નાગરિકોને સ્વચ્છતા તથા આરોગ્ય જાગૃતિ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે, જેથી પાણીજન્ય રોગચાળો ફેલાય નહીં.
📲Get App