🔥 TRENDING Indian Parliament to Convene Monsoon S... Dempo Goa Challengers Beat UP Promethe... Goa Group Protests Farmhouse Approval Assam Probes Nagaland Cloudburst Manipur Athlete Wins Asian Bronze NCB Arrests Alleged Drug Supplier
23 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
'સમરસ વિદ્યાસેતુ' અભિયાન: ગુજરાતમાં ૮૦ હજારથી વધુ ડ્રોપઆઉટ બાળકોને પુનઃ શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાશે
Sarkari Yojana

'સમરસ વિદ્યાસેતુ' અભિયાન: ગુજરાતમાં ૮૦ હજારથી વધુ ડ્રોપઆઉટ બાળકોને પુનઃ શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાશે

✍️ Reporter: Naqvi Mehendi Hasan 🗓 22 Jul 2026, 08:26 PM 👁 31

શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા: "'સમરસ વિદ્યાસેતુ' માત્ર સરકારી કાર્યક્રમ નથી, પરંતુ શિક્ષણના અધિકારને સુનિશ્ચિત કરતું જનઆંદોલન છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ (NEP) ના લક્ષ્યાંકો અનુસાર ૨૦૩૦ સુધીમાં ડ્રોપઆઉટ દર શૂન્ય કરવાનો અમારો સંકલ્પ છે." ​શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજા: "અર્લી ટ્રેકિંગ સિસ્ટમ, ચાઇલ્ડ મોનિટરિંગ અને રેસિડેન્શિયલ સ્કૂલ જેવી ટેક્નોલોજી આધારિત મોનિટરિંગ વ્યવસ્થા દ્વારા એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે."

'સમરસ વિદ્યાસેતુ' અભિયાન: ગુજરાતમાં ૮૦ હજારથી વધુ ડ્રોપઆઉટ બાળકોને પુનઃ શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાશે
​અમદાવાદ
ગુજરાતમાં એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને ડ્રોપઆઉટ રેટ 'ઝીરો' થાય તેવા સ્પષ્ટ લક્ષ્ય સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદ ખાતેથી રાજ્યવ્યાપી મહાઅભિયાન **‘સમરસ વિદ્યાસેતુ’**નો શુભારંભ કરાવવામાં આવ્યો છે. આ અભિયાન હેઠળ શાળા છોડી ગયેલા ૮૦ હજારથી વધુ બાળકોને શોધીને ફરીથી શાળામાં પ્રવેશ અપાશે.
​📌 અભિયાનના મુખ્ય અંશો અને મહત્વની બાબતો
​ઝીરો ડ્રોપઆઉટનો લક્ષ્યાંક: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ડ્રોપઆઉટ રેટ ઘટીને ૨ ટકા સુધી આવ્યો છે, જેને હવે શૂન્ય સુધી લાવવાનું આયોજન છે.
​ઉંમર મુજબ યોગ્ય ધોરણમાં પ્રવેશ: જિલ્લાવાઇઝ યાદી તૈયાર કરી ૧ થી ૧૨ ધોરણના બાળકોને તેમની ઉંમર મુજબ પ્રવેશ અપાશે. અભ્યાસમાં પાછળ રહી ગયેલા બાળકો માટે બ્રિજ કોર્સ અને પૂરક શિક્ષણની સુવિધા કરાશે.
​શિક્ષકોની સંવેદનશીલતા: બાળક સતત બે દિવસ ગેરહાજર રહે તો શિક્ષક પોતે તેના ઘરે પહોંચીને કારણ મેળવશે.
​મહત્તમ તકોનું નિર્માણ: વૈશ્વિક સ્પર્ધાના યુગમાં યુવાનોને ધંધા-રોજગારનો મહત્તમ લાભ મળે તે માટે શિક્ષણને વધુ સબળ બનાવવામાં આવશે.
​🎤 મહાનુભાવોના મહત્વના વક્તવ્ય
​મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ:
"આજના સમયમાં સરકારી અને મહાપાલિકાની શાળાઓમાં શિક્ષણનું સ્તર એટલું સુધર્યું છે કે વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં આવી રહ્યા છે. આ સફળતા માત્ર સરકારી પ્રયાસોથી નહીં પરંતુ 'સૌના પ્રયાસ'થી જ શક્ય બનશે."
​શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા:
"'સમરસ વિદ્યાસેતુ' માત્ર સરકારી કાર્યક્રમ નથી, પરંતુ શિક્ષણના અધિકારને સુનિશ્ચિત કરતું જનઆંદોલન છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ (NEP) ના લક્ષ્યાંકો અનુસાર ૨૦૩૦ સુધીમાં ડ્રોપઆઉટ દર શૂન્ય કરવાનો અમારો સંકલ્પ છે."
​શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજા:
"અર્લી ટ્રેકિંગ સિસ્ટમ, ચાઇલ્ડ મોનિટરિંગ અને રેસિડેન્શિયલ સ્કૂલ જેવી ટેક્નોલોજી આધારિત મોનિટરિંગ વ્યવસ્થા દ્વારા એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે."
​🏆 શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકો અને સંસ્થાઓનું સન્માન
​કાર્યક્રમ દરમિયાન ડ્રોપઆઉટ બાળકોને પુનઃ શાળામાં લાવવા માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા શિક્ષકો તેમજ સરકારી શાળાઓમાં શૈક્ષણિક સાધન-સામગ્રી અને સહાય પૂરી પાડનારી દાનવીર સંસ્થાઓનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
​👥 ઉપસ્થિત અગ્રણીઓ
​આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, ધારાસભ્યો, શિક્ષણ વિભાગના અગ્રસચિવ શ્રી મિલિંદ તોરવણે, મુખ્ય સચિવ મનોજકુમાર દાસ તેમજ ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
📲Get App