🔥 TRENDING Goa Board Urges Teachers Protest in Old Goa Over Construction Nagaland Landslides Claim 8 Lives Nagaland's Special Bond With USA TTE Suspended After Viral Video MP Congress Protests Rahul Gandhi's Ar...
21 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની અધ્યક્ષતામાં

આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની અધ્યક્ષતામાં

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 21 Jul 2026, 05:14 PM 👁 18
આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની અધ્યક્ષતામાં રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખતાં સમીક્ષા બેઠક યોજાઈ; વાયરસના સંક્રમણના સ્ત્રોતને સમજવા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી તેમજ કેસ હિસ્ટ્રીની ઝીણવટભરી તપાસ કરવા અધિકારીઓને સૂચના...

આ બેઠકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની ભૌગોલિક સ્થિતિ, વાયરસના ફેલાવાના કારણો, લેબોરેટરી ટેસ્ટિંગ અને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા પગલાંઓની ઊંડાણપૂર્વક સમીક્ષા કરાઈ...

રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કુલ 63 શંકાસ્પદ કેસો નોંધાયા કે જેમાંથી 12 દર્દીઓના રીપોર્ટ પોઝિટિવ આવ્યા; તેમાં 9 કેસ ગુજરાતના અને 3 કેસ રાજસ્થાનના દર્દીઓના છે...

આરોગ્ય મંત્રીશ્રીએ વિગતો આપતા જણાવ્યું કે હાલમાં નોંધાયેલા પોઝિટિવ કેસો ગુજરાતના પંચમહાલ અને ખેડા જિલ્લામાં 2, સાબરકાંઠા, મહેસાણા, ભરૂચ, ભાવનગર અને અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં એક કેસ નોંધાયેલા છે...
📲Get App