🔥 TRENDING Ajay Devgn's Dhamaal 4 Surpasses ₹100... Tamil Nadu CM Vijay Appoints 2,144 Med... Tamil Nadu CM Vijay's Toy Car Moment G... CM Vijay Inaugurates MLA Office MP Monsoon Slows Down MP Weather Alert
14 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજકોટમાં માધાપર ચોકડી પાસે ગોઝારો અકસ્માત, ટ્રેલરની અડફેટે યુવકનું મોત
Local

રાજકોટમાં માધાપર ચોકડી પાસે ગોઝારો અકસ્માત, ટ્રેલરની અડફેટે યુવકનું મોત

✍️ Reporter: Patel Bhavik Harshadbhai 🗓 14 Jul 2026, 10:02 AM 👁 22
રાજકોટના પ્રવેશદ્વાર સમાન માધાપર ચોકડી પાસે આજે ગોઝારા માર્ગ અકસ્માતમાં ઉદય વાઘેલા નામના યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ, રેતી ભરેલું ટ્રેલર પૂરપાટ ઝડપે આવી રહ્યું હતું ત્યારે રસ્તો ક્રોસ કરી રહેલા ઉદય વાઘેલાને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે યુવકનું સ્થળ પર જ મોત થયું હતું.
ઘટના બાદ ટ્રેલર ચાલક પોતાનું વાહન સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ફરાર ટ્રેલર ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
અકસ્માતને પગલે મૃતકના પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાસ્થળે પોલીસ અને પરિવારજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી તેમજ ઘર્ષણ સર્જાયું હોવાના અહેવાલ છે.
સ્થાનિકોનું કહેવું છે કે માધાપર ચોકડી નજીક રસ્તા પર પડેલા મોટા ખાડા અને ભારે વાહનોની બેફામ અવરજવર અકસ્માતોનું મુખ્ય કારણ બની રહ્યા છે. લોકો લાંબા સમયથી આ વિસ્તારમાં ટ્રાફિક નિયંત્રણ, રસ્તાના સમારકામ અને ભારે વાહનો પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
📲Get App