🔥 TRENDING સાબરકાંઠા જિલ્લાના-: ઇડર તાલુકામાં તરસ... સુરતમાં પાંડેસરા GIDCમાં પ્રિયાંશી ડાઇ... कीचड़ और गड्ढों में तब्दील हुई पिपरतरा... पुनीत गुप्ता बने रामलीला समिति के अध्य... सहर्सा के खैरा गाँव में नशा‑मुक्त भारत... અભિજીત બાયડ દ્વારા ડભોડામાં કેમ્પનું આ...
20 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાંતલપુરમાં ભાદરવા સુદ નોમ નિમિત્તે રામાપીરના નેજા ચઢાવાયા ડીજેના તાલે યુવકો નાચતા-ઝૂમતા જોવા મળ્યા, ‘રામપીર’ના નારાથી ગુંજી ઉઠી સાંતલપુરની શેરીઓ

✍️ Reporter: Mehul sinh jadeja 🗓 20 Sep 2026, 01:54 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુરમાં ભાદરવા સુદ નોમ નિમિત્તે રામાપીરના નેજા ચઢાવાયા
ડીજેના તાલે યુવકો નાચતા-ઝૂમતા જોવા મળ્યા, ‘રામપીર’ના નારાથી ગુંજી ઉઠી સાંતલપુરની શેરીઓ
સાંતલપુર ગામમાં આજે ભાદરવા સુદ નોમના પવિત્ર દિવસે રામાપીરના નેજા ચઢાવવાનો ધાર્મિક કાર્યક્રમ ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક યોજાયો હતો. આ પ્રસંગે રામાપીરના હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી રામાપીરના દર્શન-પૂજનનો લાભ લીધો હતો.
રામાપીરના નેજા સાથે સાંતલપુર બજારમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ડીજેના તાલ સાથે યુવકો નાચતા-ઝૂમતા જોવા મળ્યા હતા અને ‘રામસા પીર’ના નારાથી સાંતલપુરની શેરીઓ ગુંજી ઉઠી હતી.
શોભાયાત્રા દરમિયાન સમગ્ર સાંતલપુરમાં ભક્તિમય માહોલ છવાયો હતો. ભક્તોએ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે રામાપીરના નેજા સાથે શોભાયાત્રામાં ભાગ લીધો હતો. પરંપરાગત ધાર્મિક ભાવના સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ગ્રામજનો અને ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
ભાદરવા સુદ નોમના આ પવિત્ર પ્રસંગે સાંતલપુરમાં દિવસભર રામાપીરની ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.
📲Get App