🔥 TRENDING સુરતમાં બપોરે ભારે વરસાદ, દક્ષિણ Gujar... ડીસાના રસાણામાં પરમેશ્વરી પદયાત્રી સેવ... ગુજરાતમાં હજી ભારે વરસાદની સંભાવના પ્રધાનમંત્રીની 25 વર્ષની જાહેર સેવા યા... Official Trailer of Kannada Film 'Anir... ABVP Secures Three DUSU Seats in Uttar...
20 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Agriculture

સુરત: ગણેશ સુગર વટારિયાના મજબૂતીકરણ માટે માંગરોળના કંટવા ખાતે યોજાયું ખેડૂત સંમેલન

✍️ Reporter: Dhaval Maheta 🗓 20 Sep 2026, 01:02 PM 👁 13
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત જિલ્લાના માંગરોળના કંટવા ખાતે ગણેશ સુગર વટારિયાને મજબૂત કરવા માટે ખેડૂત સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કંટવા ખાતે ગણેશ સુગર વટારિયાના મજબૂતીકરણ માટે એક વિશેષ ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં માંગરોળ અને વાલિયા તાલુકામાંથી મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી હતી અને સંસ્થાના હિતમાં ચર્ચા કરી હતી.

આ સંમેલન યોજવાનો મુખ્ય હેતુ ગણેશ સુગર ફેક્ટરીને વધુમાં વધુ પ્રમાણમાં શેરડીનો પુરવઠો મળી રહે તે સુનિશ્ચિત કરવાનો હતો. ફેક્ટરી પોતાની મહત્તમ ક્ષમતા સાથે પિલાણ કાર્ય કરી શકે તે માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

સંમેલનમાં ઉપસ્થિત ખેડૂતોએ સ્વેચ્છાએ પોતાની શેરડીનો જથ્થો ફેક્ટરીને પૂરો પાડવાનો અને આ સહકારી સંસ્થાને વધુ મજબૂત બનાવવાનો મક્કમ સંકલ્પ લીધો હતો.
📲Get App