🔥 TRENDING Uttarakhand CM Dhami Promises Educatio... જલાલપોરમાં નરેન્દ્ર મોદીના 76મા જન્મદિ... Murder Accused Survives After Jumping... CM Sai Criticizes Rahul Gandhi, Claims... Raipur EV Sales Jump 67% in August as... Surge in "embassywarning" searches obs...
20 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

સાબરકાંઠાના-:હિંમતનગરમાં કોંગ્રેસની યુપીઆઇ ચાર્જો વિરોધી રેલી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 20 Sep 2026, 12:05 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કોંગ્રેસ સમિતિએ હિંમતનગરમાં યુપીઆઇ ચાર્જો પરત લેવાની માંગ કરતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા સુધી રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું..

સાબરકાંઠા જિલ્લામાં-:
કોંગ્રેસ સમિતિએ યુપીઆઇ ચાર્જો પરત લેવાની માંગ કરતા રાજકીય રેલીનું આયોજન કર્યું.સમિતિ સભ્યો,વેપારીઓ અને સામાન્ય જનતા સાથે મળીને કોંગ્રેસ કાર્યાલયથી શરૂ કરીને મહાત્મા ગાંધીજીની પ્રતિમા સુધી પગપાળા યાત્રા કરી.રેલી દરમિયાન ભાગ લેનારોએ યુપીઆઇ ચાર્જો લુટનુ આયોજન તરીકે નિંદા કરી અને કેન્દ્ર સરકારની આ નીતિ સામે તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો. પ્રદર્શનકારોએ ગાંધીજીની પ્રતિમા આગળ નમન કરીને સરકારને આ ચાર્જો પાછા લેવા વિનંતી કરી..

પ્રદર્શનનું મુખ્ય સ્થળ મોતીપૂરા સર્કલની નજીક હતું, જ્યાં હિંમતનગરની જનતા મોટી સંખ્યામાં હાજર રહી. રેલી દરમિયાન કોઈ હિંસા કે અશાંતિની જાણ નથી અને પોલીસ દ્વારા કાયમી દેખરેખ રાખવામાં આવી.આ પ્રદર્શન કોંગ્રેસની સ્થાનિક સ્તરે યુપીઆઇ નીતિ સામેની નિરાશા અને વિરોધને દર્શાવે છે, જે રાજકીય પરિસ્થિતિમાં તણાવ વધારવાની શક્યતા રાખે છે.
📲Get App