🔥 TRENDING 6202509699 Madhya Pradesh fuel stations to ban UP... Eight Odia Nationals Killed in Road Ac... Delhi Mandates 50% Deposit Before Cour... Two Young Workers Killed in Hit‑and‑Ru... Rahul Gandhi slams government over shr...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Jobs & Career

ગુજરાત અને કેન્દ્ર સરકારમાં અનેક મહત્વના પદ પર અધિકારીઓ નિવૃત થયા બાદ પણ એક્સટેશન બાદ એક્સટેન્શન મેળવી યથાવત રહેતા હોય છે. જેના કારણે જે પદ

✍️ Reporter: Dhaval Maheta 🗓 19 Sep 2026, 06:12 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પાટીલે કહ્યું કે, નોકરીના અંતિમ સમયમમાં અપાતા એક્સ્ટેન્શનનો હું સખત વિરોધી છું. સરકારી નોકરીમાં એક્સટેન્શન આપવાના કારણે નવયુવાનોના હકો છીનવાઈ જાય છે. ઉંમરમાં એક દિવસ વધી જાય તો પણ

ગુજરાત અને કેન્દ્ર સરકારમાં અનેક મહત્વના પદ પર અધિકારીઓ નિવૃત થયા બાદ પણ એક્સટેશન બાદ એક્સટેન્શન મેળવી યથાવત રહેતા હોય છે. જેના કારણે જે પદ માટે જે હકદાર હોય છે તે વંચિત રહેતા હોય છે. ત્યારે સુરતમાં રોજગાર મેળામાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે આ મુદ્દાને લઈ મહત્વની વાત કરી.

પાટીલે કહ્યું કે, નોકરીના અંતિમ સમયમમાં અપાતા એક્સ્ટેન્શનનો હું સખત વિરોધી છું. સરકારી નોકરીમાં એક્સટેન્શન આપવાના કારણે નવયુવાનોના હકો છીનવાઈ જાય છે.

ઉંમરમાં એક દિવસ વધી જાય તો પણ યુવાન સરકારી નોકરીની તક ગુમાવી દે- પાટીલ

સુરતના સરસાણા કન્વેન્શ સેન્ટરમાં આયોજીત રોજગાર મેળામાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે હાજરી આપી. કાર્યક્રમમાં યુવાઓને સંબોધતા પાટીલે પોતાના મનની વાત કરતા કહ્યું કે, તેઓ નોકરીના અંતિમ સમયમાં અપાતા એક્સટેન્શનના સખત વિરોધી છે.

ઘણીવાર એવો તર્ક આપવામાં આવે છે કે, 30 કે 35 વર્ષના દીર્ઘ અનુભવનો લાભ લેવો જોઈએ, પરંતુ તેનાથી મોટું નુકસાન યુવા પેઢીને ભોગવવું પડે છે. જો કોઈ કર્મચારીને એક્સટેન્શન આપવામાં આવે, તો આજે જે નવો યુવાન નિયુક્તિ પત્ર મેળવી રહ્યો છે તેનો એક વર્ષનો અધિકાર છીનવાઈ જાય. આયુષ્યનો એક દિવસ પણ વધી જવાના કારણે કોઈ લાયક યુવાન સરકારી નોકરી મેળવવાની તક ગુમાવી બેસે છે.
📲Get App