🔥 TRENDING Surat રેલવે સ્ટેશન પર SMC એ 101 લોકોને... Jharkhand HC Deems Wife's Wish for Hus... India and South Africa Conduct First A... Cochin Airport Introduces BME System t... Clash erupts over name on Toran Gate i... ઉમેશભાઈ મકવાણાએ સોનાવાલા હોસ્પિટલમાં દ...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી જેલમાં સેવા સંકલ્પ અભિયાનની મુલાકાત

✍️ Reporter: Mukesh Giri 🗓 19 Sep 2026, 08:35 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી મધ્યસ્થ જેલની મુલાકાત કરી કેદીઓ સાથે સંવાદ કર્યો અને ‘વૈષ્ણવજન’ ભજનનું શ્રવણ કરી સાચા વૈષ્ણવજન બનવા અનુરોધ કર્યો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૨૫ વર્ષથી ચાલતા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સાબરમતી મધ્યસ્થ જેલની મુલાકાત કરી કેદીઓ સાથે હળવાશથી વાતચીત કરી. તેમણે કેદીઓ પાસેથી ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ…’ ભજનનું શ્રવણ કર્યું અને ભજનમાં દર્શાવેલા મૂલ્યોનું અનુસરણ કરી સાચા અર્થમાં વૈષ્ણવજન બનવા અનુરોધ કર્યો.

જેલમાં કાર્યરત વિવિધ કૌશલ્ય વિકાસ કેન્દ્રોની મુલાકાત લઈને, મુખ્યમંત્રીશ્રીએ કેદીઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓની ખરીદી કરી અને ફળોનું વિતરણ પણ કર્યું. તેમણે કોમ્પ્યુટર સેન્ટર, સુથારીકામ, વણાટકામ અને બુક બાઇન્ડિંગ સેન્ટરની મુલાકાત લઈ વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી મેળવી.

આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કેદીઓને ‘સેવા સંકલ્પ અભિયાન’માં પોતાનું યોગદાન આપવા પ્રેરિત કર્યા અને જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવા, સાધના અને સુશાસનનાં ૨૫ વર્ષના યોજાઈ રહેલા અભિયાન હેઠળ રાજ્ય સરકાર કેદીઓને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા પ્રયત્નશીલ છે. ઉપસ્થિત અધિકારીઓમાં રાજ્યની તમામ જેલોના વડા ડીજીપી કે.એલ.એન. રાવ, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ વિક્રાંત પાંડે, સાબરમતી જેલના સુપરિન્ટેન્ડેન્ટ ગૌરવ અગ્રવાલ વગેરેનો સમાવેશ થાય છે.
📲Get App