स्थानीय
શંકર ચૌધરીએ માતાજીની આરતી ઉતારી, બનાસ ડેરીએ માઈ ભક્તો માટે મેડિકલ કેમ્પ ખુલ્લો મૂક્યો
બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ દાંતા-રતનપુરના શીત કેન્દ્રમાં આરતી સાથે મેડિકલ કેમ્પનો શુભારંભ કર્યો, જે ભાદરવી પૂનમના મહામેળા માટે લાખો માઈ ભક્તોને વિનામૂલ્યે આરોગ્ય સેવા આપે છે.
બનાસ ડેરી દ્વારા દાંતા-રતનપુર ખાતે આવેલા શીત કેન્દ્રમાં 20 થી 26 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમના મહામેળા માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પનો શુભ પ્રારંભ આજે બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યો હતો.
શંકરભાઈ ચૌધરીએ સૌ પ્રથમ માતાજીની આરતી ઉતારી અને ત્યારબાદ રીબીન કાપીને મેડિકલ કેમ્પને માઈ ભક્તો માટે ખુલ્લો મૂક્યો. શુભારંભ પ્રસંગે મોટી સંખ્યામાં આગેવાનો, બનાસ ડેરીના અધિકારીઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા.
આ પ્રસંગે શંકરભાઈ ચૌધરીએ ઉપસ્થિત માઈ ભક્તોને સંબોધન
કરીને શુભેચ્છા પાઠવી અને બનાસ ડેરી હંમેશા સેવા માટે તત્પર છે તેવો સંદેશો આપ્યો. તેમણે જણાવ્યું કે, અંબાજી જતા માઈ ભક્તોને આરામની સાથે સાથે અદ્યતન આરોગ્ય સેવાઓ વિનામૂલ્યે મળી રહેશે.
આ મેડિકલ કેમ્પ ભાદરવી મહામેળા દરમિયાન લાખો ભક્તોને આરોગ્ય અને આરામની સુવિધા પૂરી પાડીને બનાસ ડેરીની સેવા ભાવના અને સમુદાય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની રહ્યું છે.
શંકરભાઈ ચૌધરીએ સૌ પ્રથમ માતાજીની આરતી ઉતારી અને ત્યારબાદ રીબીન કાપીને મેડિકલ કેમ્પને માઈ ભક્તો માટે ખુલ્લો મૂક્યો. શુભારંભ પ્રસંગે મોટી સંખ્યામાં આગેવાનો, બનાસ ડેરીના અધિકારીઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા.
આ પ્રસંગે શંકરભાઈ ચૌધરીએ ઉપસ્થિત માઈ ભક્તોને સંબોધન
કરીને શુભેચ્છા પાઠવી અને બનાસ ડેરી હંમેશા સેવા માટે તત્પર છે તેવો સંદેશો આપ્યો. તેમણે જણાવ્યું કે, અંબાજી જતા માઈ ભક્તોને આરામની સાથે સાથે અદ્યતન આરોગ્ય સેવાઓ વિનામૂલ્યે મળી રહેશે.
આ મેડિકલ કેમ્પ ભાદરવી મહામેળા દરમિયાન લાખો ભક્તોને આરોગ્ય અને આરામની સુવિધા પૂરી પાડીને બનાસ ડેરીની સેવા ભાવના અને સમુદાય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની રહ્યું છે.