🔥 TRENDING Congress' Nandigram Candidate Arrested... TMC Submits New Name and Symbol Propos... કોઠ પોલીસની મોટી કાર્યવાહી! મરૂન કલરની... Nitish Kumar’s Son Addresses JD(U) Ori... Bihar likely to seek ₹250 crore from C... जैथरा में 19 सितंबर से शुरू होगी श्री...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાવરકુંડલામાં માલધારી સમાજનો ગૌચર જમીનને વન વિભાગને આપવાના નગરપાલિકા નિર્ણય સામે વિરોધ

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 18 Sep 2026, 11:45 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાવરકુંડલા શહેરમાં માલધારી સમાજએ નગરપાલિકા દ્વારા ગૌચર જમીનનું વન વિભાગને વનીકરણ અને નર્સરી માટે ફાળવણી કરવાનો નિર્ણય લીધા વિના સમાજને જાણ્યા હોવાથી વિરોધ નોંધાવ્યો.

સાવરકુંડલા શહેરમાં માલધારી સમાજે નગરપાલિકા દ્વારા સાવર સામા પાદર ગામની ગૌચર જમીનનું વન વિભાગને વનીકરણ અને નર્સરી માટે ફાળવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તે વિરોધમાં મામલતદારને આવેદનપત્ર પાઠવ્યો છે.

આવેદનપત્રમાં જણાવાયું છે કે સર્વે નંબર 452/1 મુજબ ગૌચરની કુલ 407,735 ચો.મી. જમીનમાંથી 15,000 ચો.મી. જમીન વન વિભાગને ફાળવવામાં આવી છે. ફોટો: સૌરભ દોશી.

માલધારી સમાજનો આક્ષેપ છે કે નિર્ણય સમાજને વિશ્વાસમાં લીધા વિના લેવાયો છે, કારણ કે ગૌચર જમીન પર અનેક માલધારી પરિવારો પશુધન માટે નિર્ભર છે.

સમાજે ઠરાવ રદ કરીને ગૌચર જમીનને પશુઓ માટે અનામત રાખવાની માંગ કરી છે. માંગ સ્વીકારવામાં ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી અપાવવાની ધમકી આપી છે.
📲Get App