🔥 TRENDING લીંબડી-રાણપુર રોડ પર બાઈક-ટ્રક ટક્કરથી... মুখ্যমন্ত্রী উপস্থিতি বিশ্বকর্মা পুজোত... રાણપુરમાં જુગાર રમતા પાંચ વ્યક્તિઓને ધ... गणेश उत्सव में लिटिल मंचकिन किंडरगार्ट... भारतीय जनता पार्टी द्बारा सेवा संकल्... સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા:...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

બનાસકાંઠા પોલીસએ ભાદરવી પુનમ મહામેળા માટે ૪૦ થી વધુ આરોપીઓને રોક્યા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 18 Sep 2026, 04:14 PM 👁 119
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અંબાજીમાં ભાદરવી પુનમ મહામેળા દરમિયાન બનાસકાંઠા પોલીસએ ૪૦ થી વધુ ગુનાહિત આરોપીઓને રોકીને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી..

બનાસકાંઠામાં-:
પોલીસએ ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬ થી અંબાજીમાં યોજાનાર ભાદરવી પુનમ મહામેળા માટે કાયદો અને વ્યવસ્થા જાળવવા ૪૦ થી વધુ આરોપીઓ સામે અસરકારક કાર્યવાહી કરી..

જે સુચના અનુસાર ચિરાગ કોરડીયા ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક, પાલનપુર અને પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક, બનાસકાંઠા રેન્જે એલ.સી.બી.,એસ.ઓ.જી.અને સ્થાનિક પોલીસ દ્વારા અલગ અલગ ટીમો ગઠિત કરી, મહામેળા દરમ્યાન શાંતિને ખલેલ પહોંચાડતા તત્વોને ઓળખવા અને રોકવા માટે કાર્ય કર્યું.ટીમોએ અંબાજી,દાંતા,હડાદ અને અમીરગઢ વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં લૂંટ,ધાડ,અપહરણ,મારી મારી અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ૪૦ થી વધુ આરોપીઓની માહિતી તૈયાર કરી,તેમની સંપર્ક વિગતો અને બાયોડેટા સાથે અને મહામેળા દરમ્યાન કોઈ કાયદા વિરુદ્ધ પ્રવૃતિ ન કરે તે માટે જરૂરી અટકાયતી પગલાં લીધા..

બનાસકાંઠા પોલીસનું વિઝન છે કે અંબાજીમાં ભાદરવી પુનમ મહામેળા શાંતિપૂર્ણ અને વિઘ્ન વિના પૂર્ણ થાય અને સુરક્ષા અને શાંતિ માટે તેઓ પ્રતિબદ્ધ છે.
📲Get App